સપ્ટેમ્બરમાં 16 દિવસ બેંક રહેશે બંધ, જાણો September Bank Holiday 2023 List
September Bank Holiday 2023 List : ભારતીય રિઝર્વ બેંક દ્વારા બેંક હોલીડે નક્કી કરવામાં આવે છે. આ યાદી અનુસાર સપ્ટેમ્બરમાં ભારતના અલગ અલગ રાજ્યોમાં રજાઓ પણ અલગ અલગ હોય છે.
આ સાથે તમામ રાજ્યોમાં બીજા અને ચોથા શનિવાર તથા દરેક રવિવારે રજા હોય છે. આ તમામ રજાઓની ગણતરી કરી તો આખા સપ્ટેમ્બર મહિનામાં 16 દિવસ સુધી બંધ રહેશે.

અત્રે નોંધનીય છે કે, સપ્ટેમ્બરમાં બેંક શ્રી કૃષ્ણ જન્માષ્ટમી, વર્ષિદ્ધિ વિનાયક વ્રત/ વિનાયક ચતુર્થી, ગણેશ ચતુર્થી/સંવત્સરી (ચતુર્થી પક્ષ), ગણેશ ચતુર્થી (બીજો દિવસ)/નુખાઈ, શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ, મહારાજા હરિ સિંહ જીનો દિવસ છે, આ દિવસો દરમિયાન બેંકો બંધ રહેશે.
આ દિવસે બેંકો રહેશે બંધ
6 સપ્ટેમ્બર 2023 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી - ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહારમાં બેંક બંધ રહેશે.
7 સપ્ટેમ્બર, 2023 : જન્માષ્ટમી અને શ્રી કૃષ્ણ અષ્ટમી (ગુજરાત, મધ્યપ્રદેશ, ચંદીગઢ, સિક્કિમ, રાજસ્થાન, જમ્મુ, બિહાર, છત્તીસગઢ અને ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે)
18 સપ્ટેમ્બર, 2023 : વારસિદ્ધિ વિનાયક વ્રત અને વિનાયક ચતુર્થી (કર્ણાટક અને તેલંગાણામાં બેંકો બંધ રહેશે)
19 સપ્ટેમ્બર, 2023 : ગણેશ ચતુર્થી - (ગુજરાત, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ અને ગોવામાં બેંક બંધ રહેશે)
20 સપ્ટેમ્બર, 2023 : ગણેશ ચતુર્થી (બીજો દિવસ) અને નુઆખાઈ - (ઓડિશા અને ગોવામાં બેંક બંધ રહેશે)
22 સપ્ટેમ્બર, 2023 : શ્રી નારાયણ ગુરુ સમાધિ દિવસ (કેરળમાં બેંક બંધ રહેશે)
23 સપ્ટેમ્બર, 2023 : ચોથો શનિવાર અને મહારાજા હરિ સિંહનો જન્મદિવસ (જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે)
25 સપ્ટેમ્બર, 2023 : શ્રીમંત શંકરદેવની જન્મજયંતિ (આસામમાં બેંકો બંધ રહેશે)
27 સપ્ટેમ્બર, 2023 : મિલાદ-એ-શરીફ (પયગંબર મોહમ્મદનો જન્મદિવસ) (જમ્મુ અને કેરળમાં બેંક બંધ રહેશે)
28 સપ્ટેમ્બર, 2023 : ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબી (પયગમ્બર મોહમ્મદનો જન્મદિવસ) (ગુજરાત, મિઝોરમ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઉત્તરાખંડ, તેલંગાણા, મણિપુર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને નવી દિલ્હી બેંક બંધ રહેશે)
29 સપ્ટેમ્બર, 2023 : ઈદ-એ-મિલાદ-ઉલ-નબી પછી ઈન્દ્રજાત્રા અને શુક્રવાર (સિક્કિમ, જમ્મુ અને શ્રીનગરમાં બેંક બંધ રહેશે)












Click it and Unblock the Notifications
