જાણો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ, નહીં કરો તો શું થશે?
Pan card Aadhaar Card link : કેન્દ્ર સરકાર હેઠળના વિભાગ સીબીડીટી દ્વારા પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે, જે નજીક આવી રહી છે. હવે જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમ તેમ સીબીડીટી દ્વારા ફરી એકવાર લોકોને આ કામ વહેલી તકે કરવા અપીલ કરવામાં આવી રહી છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એક ટ્વિટમાં આ સંબંધમાં લોકોને વિનંતી કરી છે. 30મી સુધી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે.

વિભાગ દ્વારા ચેતવણી પણ આપવામાં આવી છે. જો આમ નહીં થાય, તો પાન કાર્ડ નકામું થઈ જશે. બાકી રિફંડની કાર્યવાહી અટકાવવામાં આવશે. TDS ઊંચા દરે કાપવામાં આવશે. આ સાથે ટીસીએસનો દર પણ વધુ રહેશે.
આ માહિતી સાથે, વિભાગે જણાવ્યું છે કે, કોઈ પણ વ્યક્તિ પાસે એકથી વધુ પાન કાર્ડ નહીં હોય. એકથી વધુ PAN રાખવા પર 10,000 રૂપિયાનો દંડ લાગશે.
ઉલ્લેખનીય છે કે, પાન કાર્ડ દ્વારા દરેક વ્યક્તિ આવકવેરા સંબંધિત તમામ કામ કરે છે. આ સાથે જ્યાં પણ વધુ પૈસાની લેવડ-દેવડ થતી હોય ત્યાં પાન કાર્ડ પણ ફરજિયાત છે. 2023થી સરકાર પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાનો આગ્રહ કરી રહી છે.
આ દરમિયાન, આવકવેરા વિભાગે PAN કાર્ડને શક્ય તેટલી વહેલી તકે આધાર સાથે લિંક કરવાની સલાહ પણ આપી છે, જેથી ભવિષ્યમાં કોઈ સમસ્યા ન થાય.
કોને આધાર અને PAN લિંક કરવાની જરૂર છે?
આવકવેરા અધિનિયમની કલમ 139AA એ જોગવાઈ કરે છે કે, 1 જુલાઈ, 2017 ના રોજ જે વ્યક્તિને પરમનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) ફાળવવામાં આવ્યો છે, અને જે આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેમણે નિર્ધારિત ફોર્મેટમાં તેના આધાર નંબરની જાણ કરવી જોઈએ.
બીજા શબ્દોમાં કહીએ તો, આવી વ્યક્તિઓએ નિર્ધારિત તારીખ (હાલમાં 31.03.2022 ફી ચૂકવ્યા વિના અને નિયત ફીની ચુકવણી સાથે 31.03.2023) પહેલાં તેમના આધાર અને PANને ફરજિયાતપણે લિંક કરવું આવશ્યક છે.
કોના માટે ફરજિયાત નથી આધાર-PAN લિંક કરવું?
- આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોના રહેવાસી હોય તેવા લોકો માટે
- આવકવેરા અધિનિયમ, 1961 મુજબ NRI લોકો માટે
- ગત વર્ષ દરમિયાન કોઈપણ સમયે એંસી વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે
- જે લોકો ભારતના નાગરિક નથી
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
