LICએ અદાણી પર ફરીથી વ્યક્ત કર્યો વિશ્વાસ, હિંડનબર્ગના રિપોર્ટ છતાં વધુ 30,127 કરોડનુ કર્યુ રોકાણ
હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણીના શેરો પર હજુ પણ અસર દેખાઈ રહી છે. તેમ છતાં એલઆઈસીએ એક મોટુ પગલુ લીધુ છે. જે બાદ એક વાર ફરીથી યુએસ શૉર્ટ સેલરનો રિપોર્ટ બેઅસર દેખાઈ રહ્યો છે.
વાસ્તવમાં, એલઆઈસીએ ફરીથી અદાણી પર ભરોસો જાળવી રાખીને અદાણી ગ્રુપમાં પોતાની ભાગીદારી 4.23 ટકા વધારી દીધી છે. એલઆઈસીએ હાલમાં જ અદાણી એન્ટરપ્રાઈઝના 357,500 શેર ખરીદ્યા.

LICએ અન્ય ગ્રુપ કંપનીઓમાં અદાણી ગ્રીન, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ટોટલ ગેસના શેરો ખરીદ્યા જ્યારે અંબુજા અને ACC તેમજ અદાણી પોર્ટ્સમાં હિસ્સો ઘટાડ્યો. આનાથી અદાણી જૂથમાં LICનો રૂ. 30,127 કરોડનો હિસ્સો ઉમેરાયો, જેણે કંપનીના શેરમાં ઘટાડો થવાની આશંકા વ્યક્ત કરી હતી.
LIC એ લાંબા ગાળાના આઉટલુકને ટાંકીને રોકાણને યોગ્ય ઠેરવ્યુ છે અને અદાણી સાથેનુ તેનુ એક્સ્પોઝર મેનેજમેન્ટ હેઠળની કુલ સંપત્તિના ટકા કરતા પણ ઓછુ હોવાનું સ્પષ્ટ કરીને આશંકાઓ દૂર કરી છે.
અદાણી ગ્રુપના શેરના ભાવમાં ધરખમ ઘટાડો થતા રૂ. 2 લાખથી ઓછી કિંમતના શેર ધરાવતા તેના રોકાણકારો ત્રણ ગણા વધી ગયા હતા. અદાણીમાં રિટેલ રોકાણકારોનુ હોલ્ડિંગ હવે 3.41 ટકાથી ઘટીને 1.86 ટકા થયુ છે, મ્યુચ્યુઅલ ફંડ્સે તેમનુ હોલ્ડિંગ 1.19 ટકાથી ઘટાડીને 0.87 ટકા કર્યુ છે.












Click it and Unblock the Notifications
