Rules change : 1 માર્ચથી બદલાશે આ મહત્વના નિયમો, જાણો તમારા પર કેવી અસર પડશે?
Rules change : માર્ચ 2025 નજીક આવી રહ્યો છે અને 1 માર્ચથી કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જે તમારું બજેટ પ્રભાવિત કરી શકે છે.
એફડીના વ્યાજ દરોમાં ફેરફારથી લઈને ગેસ સિલિન્ડર અને અન્ય ઈંધણના ભાવમાં સંભાવિત વધારો-ઘટાડો જોવા મળશે.

બેંક FDના નિયમોમાં બદલાવ
માર્ચ 2025 થી બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરોમાં ફેરફાર કરી શકે છે. બેંક તેમના નાણાકીય તંત્ર અને તરલતાને ધ્યાનમાં રાખીને વ્યાજ દરોમાં સુગમતા લાવી શકે છે. ખાસ કરીને 5 વર્ષ કે તેથી ઓછા સમય માટે FD કરનારા ગ્રાહકોને નવા દરોની સીધી અસર થઈ શકે છે.
LPG સિલિન્ડર ના ભાવમાં ફેરફાર
દર મહિનાની જેમ ઓઈલ કંપનીઓ 1 માર્ચ 2025 ના રોજ LPG સિલિન્ડરના નવા ભાવ જાહેર કરશે. સુધારેલા ભાવ સવારે 6 વાગ્યે લાગુ થશે, જેથી ઘરગથ્થું બજેટ ઉપર તેની સીધી અસર થઈ શકે છે.
ATF અને CNG-PNG ના નવા ભાવ
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એર ટર્બાઇન ફ્યુઅલ (ATF) અને CNG-PNG ના દરોની સમીક્ષા કરે છે. 1 માર્ચ 2025 થી આ ઈંધણોના ભાવમાં પણ બદલાવ થવાની સંભાવના છે, જે હવાઈ મુસાફરી અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ભાડાને પ્રભાવિત કરી શકે છે.
આ બદલાવોને ધ્યાનમાં રાખીને તમે તમારા નાણાંકીય આયોજનમાં જરૂરી ફેરફાર કરી શકો. નાણાકીય નુકસાનથી બચવા અને વધુ ફાયદા મેળવવા માટે અપડેટ રહો.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
