બીજા ક્વાર્ટરમાં Maruti Suzukiના નફામાં 39%નો ઘટાડો
બીજા ક્વાર્ટરમાં Maruti Suzukiના નફામાં 39%નો ઘટાડો
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ગુરુવારે પોતાના ક્વાર્ટરલી પરિણામ જાહેર કર્યાં. દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીનો નાણાકીય વર્ષ 2020ના બીજા ક્વાર્ટરમાં નફો 39.4 ટકાથી ઘટીને 1358.6 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ 2240.4 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે, જૂન ક્વાર્ટરમાં પણ કંપનીને 14355 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જણાવી દઈએ કે આ દરમિયાન કંપનીની આવક પણ ઘટી છે. જણાવી દઈએ કે પાછલા કેટલાય મહિનાથી કંપનીની કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. કંપનીએ સતત પોતાનું પ્રોડક્શન પણ ઘટાડ્યું છે.

જ્યારે બીજા ક્વાર્ટરમાં મારુતિનું નેટ વેચાણ વાર્ષિક આધાર પર 22.50 ટકા ઘટીને 16120.40 કરોડ રૂપિયા રહ્યું. આ દરમિયાન સેલ્સ વૉલ્યૂમ વાર્ષિક આધાર પર 30.2 ટકા ગગડીને 3,38,317 યૂનિટ રહ્યો. બીજા ક્વાર્ટરમાં કંપનીની અન્ય આવક 526.6 કરોડ રૂપિયાથી વધીને 920 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન કુલ આવક 28 ટકાથી ઘટી 17,905.30 કરોડ રૂપિયા રહી છે, જે પાછલા વર્ષના આ ક્વાર્ટરમાં 22,959.80 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે વાર્ષિક આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીનો એબિટડા 3431 કરોડથી ઘટી 1606.3 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે એબિટડા માર્જિન 15.3 ટકાથી ઘટી 9.5 ટકા રહ્યું છે.
જ્યારે આ વિશે કંપનીનું કહેવું છે કે આ વર્ષે ઑટોમોબાઈલ ઉદ્યોગે કેટલીય પરિબળોને કારણે વેચાણમાં મહત્વપૂર્ણ ઘટાડો નોંધઆયો છે. મુખ્ય કારણોમાંથી એક કારના એક્વિજિશનની લાગતમાં વધારો છે. એવું કેટલાય કારણોથી થઈ રહ્યું છે, જેમ કે વધુ આકરા સેફ્ટી એન્ડ એમિશનના માપદંડ, વાહન વીમા ખર્ચામાં વધારો અને કેટલાય રાજ્યમાં રોડ ટેક્સમાં વધારો. આની સાથે જ ફાઈનાન્સની ઓછી ઉપલબ્ધતાએ પણ ગ્રાહકોની કાર ખરીદવાની ક્ષમતાને પ્રભાવિત કર્યું છે. આ કારણે કંપનીના પ્રોફિટમાં અસર થઈ છે.












Click it and Unblock the Notifications
