Alert! દેશના 1.13 લાખ એટીએમ માર્ચના અંત સુધીમાં બંધ થઈ શકે છે, જાણો શું અસર થશે
એટીએમમાંથી રોકડ ઉપાડવાનું ખૂબ અનુકૂળ હોય છે. કોઈ બેંકમાં ગયા વગર તમે મિનિટોમાં ગમે ત્યાં ગમે ત્યારે રોકડ ઉપાડી શકો છો.
એટીએમમાંથી રોકડ ઉપાડવાનું ખૂબ અનુકૂળ હોય છે. કોઈ બેંકમાં ગયા વગર તમે મિનિટોમાં ગમે ત્યાં ગમે ત્યારે રોકડ ઉપાડી શકો છો. પરંતુ નવી રિપોર્ટ મુજબ દેશના અડધા જેટલા એટીએમ આ મહિનાના અંત સુધીમાં બંધ થઈ શકે છે. કન્ફેડરેશન ઓફ એટીએમ ઇન્ડસ્ટ્રી (CATMi) ની રિપોર્ટ અનુસાર દેશના અડધાથી વધુ એટીએમ માર્ચ 2019 ના અંત સુધીમાં બંધ થઈ શકે છે. CATMi ઇન્ડસ્ટ્રી અનુસાર દેશના અડધાથી વધુ એટીએમ બંધ થઈ શકે છે. આ એટલા માટે કારણ કે આ એટીએમની તકનીકી સુધારણા જરૂરી છે. દેશમાં 2.38 લાખ એટીએમ છે, જેમાં લગભગ 1.13 લાખ એટીએમ બંધ થઈ શકે છે.

એટીએમ બંધ થવાથી અસર
રિપોર્ટ અનુસાર એટીએમ બંધ થવાથી હજારો નોકરીઓ પર અસર પડશે. ગયા વર્ષે CATMi એ આને લઈને આશંકા જતાવી હતી. તેના રિપોર્ટમાં કંપનીએ કહ્યું હતું કે દેશના અડધા જેટલા એટીએમ બંધ થઈ શકે છે. જેમાંથી મોટા ભાગના બિન શહેરી વિસ્તારોના હશે. આના કારણે નાણાકીય સમાવેશ કરવાના પ્રયાસો પર અસર થઈ શકે છે કારણ કે લાભાર્થીઓ સરકાર સબસિડીનો ઉપાડ કરવા માટે એટીએમનો પણ ઉપયોગ કરે છે. રિપોર્ટ અનુસાર એટીએમમાં હાર્ડવેર અને સૉફ્ટવેર અપગ્રેડ્સ થવાના છે. નિયમનકારી ફેરફારો, એટીએમમાં રોકડ વ્યવસ્થાપન ધોરણમાં ઘણા ફેરફારો છે. નોટબંધી પછી નવી નોટોના આગમનને લીધે એટીએમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેશ લોડિંગની કેસેટ સ્વેપ પદ્ધતિથી એટીએમ ઓપરેટરોને નુકસાન પહોંચાડી રહી છે. આવામાં એટીએમ બંધ કરવું વધુ સારું રહેશે.
આ પણ વાંચો: 31 માર્ચ પહેલાં પૂરું કરી લો PAN કાર્ડ સાથે જોડાયેલું આ કામ, નહીં તો વધી જશે મુશ્કેલી
રિપોર્ટ મુજબ જો કેશ લોજિસ્ટિક્સ અને કેસેટ સ્વેપ મેથડ અમલમાં મૂકવામાં આવે તો એટીએમ ઇન્ડસ્ટ્રી પર 3,000 કરોડ રૂપિયાનો બોજ પડશે. એવું માનવામાં આવે છે કે આ એટીએમ બંધ કરી શકાય છે. તો દેશમાં એટીએમની સેવાથી થતી આવકમાં સતત વધારો થવાને કારણે એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં એટીએમ સેવા મોંઘી પડી શકે છે.












Click it and Unblock the Notifications
