નેસ્લેની 100 કરોડ રૂપિયાની નફાખોરી પકડાઈ ગઈ
જીએસટી હેઠળ નફાખોરી વિરોધી જીડીએપીએ ચોકલેટ અને નૂડલ્સ જેવા ઉત્પાદન બનાવનારી કંપની નેસ્લે ઇન્ડિયાની 100 કરોડ રૂપિયાની નફોખોરી પકડાઈ ગઈ છે.
જીએસટી હેઠળ નફાખોરી વિરોધી જીડીએપીએ ચોકલેટ અને નૂડલ્સ જેવા ઉત્પાદન બનાવનારી કંપની નેસ્લે ઇન્ડિયાની 100 કરોડ રૂપિયાની નફોખોરી પકડાઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે કંપની પર ગ્રાહકોને જીએસટી દરમાં ઘટાડાનો લાભ ન આપવાનો દોષ છે. જોકે, કંપનીએ પકડાઈ ગયા પછી, તેણે ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા સ્વૈચ્છિક રીતે જમા કરાવી દીધા છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાંની 9 ખાસ બચત યોજના, જાણો કેટલું વ્યાજ મળશે

જીએસટી ઘટ્યા પછી પણ ઉત્પાદનોના ભાવ ઘટાડ્યા નહીં
ડીએસએપીએ રાષ્ટ્રીય નફાખોરી વિરોધી ઓથોરિટી એનએએની પાસે જમા કરેલા તપાસ અહેવાલમાં જણાવ્યું છે કે નેસ્લે ઇન્ડિયાએ જીએસટી દરના ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી. કંપનીએ 100 કરોડ રૂપિયાની નફાખોરી કરી છે. કંપનીએ જીએસટી ઘટ્યા પછી પણ તેમના ઉત્પાદનોની કિંમતોમાં ઘટાડો કર્યો નથી.

ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા જમા
નેસ્લે ઈન્ડિયાના એક પ્રવક્તાનું કહેવું છે કે કંપનીએ ગ્રાહકોને દરના ઘટાડાનો ફાયદો નથી આપ્યો તેથી સ્વેચ્છાએ ગ્રાહક કલ્યાણ ભંડોળમાં 16.58 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે. તેઓનું કહેવું છે કે મહત્તમ છૂટક ભાવમાં અચાનક ઘટાડાની સ્થિતિમાં ગ્રાહકોને ભાવ ઘટાડાનો ફાયદો નહીં પહોંચવા પર કંપનીએ 16.58 કરોડ રૂપિયા અલગ રાખ્યા હતા અને તેને તેમના નફા અથવા વેચાણમાં દર્શાવ્યું ન હતું.

178 ઉત્પાદનો પર જીએસટીનો નીચો દર
કંપનીનું કહેવું છે કે અમારી વિનંતી પર અધિકારીએ અમને અમારા દ્વારા અલગ રાખવામાં આવેલી રકમ સ્વેચ્છાએ ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરવાનું કહ્યું જે અમે કરાવી દીધા. નેસ્લે ઇન્ડિયા ચોકલેટ, નૂડલ્સ અને કોફી જેવા ઉત્પાદનો વેચે છે.
જીએસટી કાઉન્સિલે 178 ઉત્પાદનો પર જીએસટી દર ઘટાડ્યો છે. જેમાં ચોકલેટ, માલ્ટ, ખાવાનું બનાવવામાં ઉપયોગમાં આવતા લોટમાં અને વેફરનો સમાવેશ થાય છે. જીએસટી હેઠળ જ વ્યવસ્થા કરવામાં આવી છે કે જયારે ભાવમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી ન પહોંચી શકે તો તે રકમને ગ્રાહક કલ્યાણ ભંડોળમાં જમા કરવાની હોય છે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
