1 જુલાઇથી બદલાઇ જશે SBIનો લૉકર એગ્રીમેન્ટ, સહી કરશો તો જ મળશે અઢળક લાભ
સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા એટલે કે એસબીઆઇએ લૉકરને લઇ મોટી પહેલ કરવા જઇ રહી છે. એસબીઆઇ પોતાના લૉકરના નિયમ બદલવા જઈ રહી છે. 30 જૂન બાદ લૉકરના નવા નિયમ લાગૂ થઇ જશે. એવામાં જો તમારી પાસે પણ એસબાઇઈમાં લૉકર હોય તો તરત જ તમારી બેંકની બ્રાન્ચનો સંપર્ક કરવો જોઈએ.
દેશની સરકારી બેંકોમાં લૉકર રાખવનારાઓ માટે આરબીઆઈએ નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેને ધ્યાનમાં રાખીને હવે બેંકો લૉકર એગ્રીમેન્ટ બદલી રહી છે. બેંકો પોતાના ગ્રાહકો પાસે જલદી જ આ નવા એગ્રીમેન્ટ પર સહી કરાવવા માંગે છે. માટે ગ્રાહકોએ પોતાની લૉકર વાળી બ્રાન્ચનો તરત જ સંપર્ક કરવો જોઈએ.

એસબીઆઇએ લૉકર લેનાર ગ્રાહકોને તુરંત નવા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાની અપીલ કરતું એક ટ્વીટ કર્યું છે. જેમાં એસબીઆઇએ કહ્યું, "ડિયર કસ્ટમર, રિવાઇઝ્ડ લૉકર એગ્રીમેન્ટના સેટલમેન્ટ માટે કૃપયા તમારી બ્રાન્ચમાં જાઓ. જો તમે પહેલેથી જ અપડેટેડ એગ્રીમેન્ટ પર સહી કરી ચૂક્યા છો, તો પણ સપ્લીમેન્ટ્રી એગ્રીમેન્ટ પર સહી કરવી જરૂરી છે."
જે ગ્રાહક તરત આ નવા એગ્રીમેન્ટ પર સહી કરશે, તેમને તે સમયે જ કેટલાય લાભ મળવા શરૂ થઇ જશે. આરબીઆઇએ આ મામલે પહેલેથી જ જણાવી દીધું છે. નવા એગ્રીમેન્ટ અંતર્ગત જો લૉકરમાં નુકસાન થાય છે, તો બેંકેં વળતર આપવું પડશે. અત્યાર સુધી આવું પ્રાવધાન નહોતું. જો નવા એગ્રીમેન્ટ પર સહી કર્યા બાદ લૉકરમાંથી ચોરી, લૂંટ, બેંકની લાપરવાહી અથવા તેના કર્મચારીઓ તરફથી કોઈપણ પ્રકારની ઘટના બને છે તો બેંક તેની ભરપાઇ કરશે. આ વળતર લૉકરના વાર્ષિક ભાડાના 100 ગણા બરાબર સુધી હશે.
આરબીઆઇએ પણ ગ્રાહકોને 23 જાન્યુઆરી 2024ના રોજ જાહેર સર્ક્યુલર મુજબ પોતાના બેંકોમાં નવા એગ્રીમેન્ટ પર સહી કરી લેવાની અપીલ કરી છે. આરબીઆઇએ બેંકોને 30 જૂન સુધીમાં 50 ટકા ગ્રાહકો પાસેથી નવા એગ્રીમેન્ટ પર સહી કરાવી લેવા જણાવ્યું છે. જે બાદ બાકીના બચેલા ગ્રાહકોમાંથી 75 ટકા ગ્રાહકો પાસેથી 30 સપ્ટેમ્બર સુધીમાં એગ્રીમેન્ટ પર સહી કરાવી લેવી પડશે.
અહીં વધુ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે, નવા લૉકર એગ્રીમેન્ટ આરબીઆઇના નિર્દેશ પર તૈયાર થયેલ છે. એવામાં જો તમારી પાસે એસબીઆઇ ઉપરાંત અન્ય કોઈપણ બેંકનું લૉકર છે, તો તમારે પણ આ એગ્રીમેન્ટ પર સહી કરવાની થશે. એવામાં લૉકર ધરાવતા ગ્રાહક તરત જ પોતાની બ્રાન્ચનો સંપર્ક કરે તે જરૂરી છે.
-
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Gold Rate Today: ઈરાન જંગ વચ્ચે સોનું ફરી સસ્તું થયું! જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ -
IPL 2026: આ 5 ખેલાડીઓ છેલ્લી આઈપીએલ રમશે? લઈ શકે છે નિવૃત્તિ -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે












Click it and Unblock the Notifications
