રેલવે બજેટ 2021માં નવી બુલેટ ટ્રેન નેટવર્ક યોજના પર થઈ શકે વડું એલાન
રેલવે બજેટ 2021માં નવી બુલેટ ટ્રેન નેટવર્ક યોજના પર થઈ શકે વડું એલાન
નવી દિલ્હીઃ જનરલ બજેટ 2021ની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. શનિવારે હલવા સેરેમનીના આયોજન સાથે બજેટના દસ્તાવેજ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 92 વર્ષની પરંપરામાં 2016માં થયેલ બદલાવ બાદ હવે જનરલ બજેટમાં જ રેલવે બજેટ પણ સામેલ હોય છે અને રેલવે બજેટ સાથે જોડાયેલી ઘોષણા પણ એ દિવસે જ થાય છે. રેલવે મંત્રાલયે આ વખતેના બજેટમાં પોતાના માટે 1.80 લાખ કરોડના બજેટ ખર્ચનું અનુમાન રજૂ કર્યું છે પરંતુ કોરોનાના સંકટને પગલે આ માંગ કદાચ પૂરી થઈ શકે. રેલવેને કેન્દ્ર તરફથી 75000 કરોડની મદદ એટલે કે બજેટીય સપોર્ટ મળી શકે છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના સમાચાર મુજબ આ વર્ષનું રેલવે બજેટ આગામી વર્ષમાં બુલેટ ટ્રેન નેટવર્કને રજૂ કરવાની યોજના પર વધુ પ્રકાશ નાખે છે. હાલમાં જ ભારતીય રેલવેએ રાષ્ટ્રીય રેલ યોજના 2014નો પોતાનો ડ્રાફ્ટ જાહેર કર્યો છે જેમાં 2051 સુધી દેશભરમાં લગભગ 8000 કિલોમીટર બુલેટ ટ્રેન નેટવર્કનો પ્રસ્તાવ કરાયો હતો. જો હાલની સ્થિતિની વાત કરીએ તો વર્તમાનમાં ભારતની પહેલી હાઈ-સ્પીડ રેલ નેટવર્ક મુંબઈ અને અમદાવાદ વચ્ચે નિર્માણાધીન છે. ભૂમિ અધિગ્રહણ બાધાઓનો સામનો કરવા, વિશેષ રૂપે મહારાષ્ટ્રમાં બુલેટ ટ્રેન નેટવર્કને માત્ર ગુજરાતમાં શરૂ કરવા માટે ચાલૂ કરવામાં આવી શકે છે. પાછલા વર્ષે સીતારમણે પોતાના બજેટ ભાષણમાં ઘોષણા કરી હતી કે મુંબઈ અને અમદાવાદ વચ્ચે હાઈ સ્પીડ ટ્રેન પરિયોજનાને ભારતીય રેલવે દ્વારા સક્રિય રૂપે શરૂ કરવામાં આવશે.
મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજનાને પૂરી કરવામાં સમય છે અને ભારતીય રેલવેએ પહેલે જ એનએચએસઆરસીએલને સાત હાઈ સ્પીડ રેલ પરિયોજના માટે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું છે. અયોધ્યાના માધ્યમથી દિલ્હી-વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર માટે વિસ્તૃત પરિયોજના રિપોર્ટ ઓક્ટોબર 2020માં રેલવે મંત્રાલયને સોંપી દેવામાં આવ્યો છે. 800 કિમીથી વધુની દિલ્હી- વારાણસી બુલેટ ટ્રેન કોરિડોર લખનઉ, મથુરા, અયોધ્યા, પ્રયાગરાજ જેવા પ્રમુખ શહેરોને જોડશે. આગરા, ઈટાવા, રાયબરેલી અને ભદોહી પણ આ રૂટમાં હશે.












Click it and Unblock the Notifications
