બધાને નહિ મળે EMIમાં રાહત, જાણો RBI ગવર્નરના નિર્દેશોમાં શું છે લોચો
બેંકોએ આ ત્રણ મહિનાનુ વ્યાજ ન લેવાની પણ સલાહ આપી છે પરંતુ આરબીઆઈએ પોતાના આ આદેશમાં અમુક શક્યતાઓ બેંકો પર છોડી છે.
કોરોના સંકટ વચ્ચે આરબીઆઈએ આજે ભારતની આર્થિક સ્થિતિને જાળવી રાખવા માટે ઘણા ઉપાયોનુ એલાન કર્યુ છે. આમાં સૌથી મોટી રાહત સામાન્ય લોકોના લોનમાં ત્રણ મહિનાની ઈએમઆઈમાં રાહત માનવામાં આવી રહી છે. સાથે બેંકોએ આ ત્રણ મહિનાનુ વ્યાજ ન લેવાની પણ સલાહ આપી છે પરંતુ આરબીઆઈએ પોતાના આ આદેશમાં અમુક શક્યતાઓ બેંકો પર છોડી છે.

આરબીઆઈએ કર્યો ‘અનુમતિ' શબ્દનો ઉપયોગ
આરબીઆઈએ આ અંગે પોતાના આદેશમાં કહ્યુ કે તે બધી બેંકોને આમ કરવાની અનુમતિ આપે છે. તેમણે અનુમતિ શબ્દનો ઉપયોગ કર્યો છે, નહિ કે આદેશનો. હવે આ તમારી બેંક પર નિર્ભર કરે છે કે તે આની રાહત તમારા સુધી પહોંચાડે છે કે નહિ. આરબીઆઈએ પોતાના એલાનમાં બધો નિર્ણય બેંકો પર છોડી દીધો છે. એ નક્કી કરશે કે તેમણે ગ્રાહકોને રાહત આપવી છે કે નહિ.

ખાનગી બેંકો માટે ફસાયો પેચ
બની શકે છે કે જે લોકોએ સરકારી બેંકો પાસેથી લોન લીધી છે તેમણે સરકારી બેંક આરબીઆઈની સલાહનુ સંપૂર્ણપણે પાલન કરવુ પડે પરંતુ ખાનગી બેંક જરૂરી નથી કે આ સલાહને સંપૂર્ણપણે માને જ. બની શકે કે ખાનગી બેંક માત્ર અમુક ખાસ લોનને જ આ સ્કીમ હેઠળ શામેલ કરે. જેમ કે બની શકે કે માત્ર કાર લોન કે પર્સનલ લોનને જ આ કેટેગરીમાં શામેલ કરે અને પોતાની રીતે એની લિમિટ પણ નક્કી કરી દે. PERMIT TO AllOW શબ્દનો ઉપયોગ કરીને આરબીઆઈએ બેંકોને એક રીતે એ નક્કી કરવાની છુટ્ટી આપી દીધી છે.

રેપો અને રિવર્સ રેપો ઘટાડવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે કોરોના વાયરસની મહામારી વચ્ચે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને અર્થવ્યવસ્થા વિશે અમુક જરૂરી એલાન કર્યા. શક્તિકાંત દાસે મીડિયાને સંબોધિત કરતા રેપો રેટમાં 75 બેસિસ પોઈન્ટની કટોતી કરી છે, જે બાદ રેપો રેટ 5.15થી ઘટીને 4.2 ટકા થઈ ગયો છે. રિઝર્વ બેંકના આ નિર્ણયથી RBI ઓછા ઈન્ટરેસ્ટ રેટ પર બેંકોને લોન આપશે.જ્યારે રિઝર્વ રેપો રેટમાં 90 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો છે અને હવે આ ઘટીને 4.9 ટકાથી ઘટીને 4 ટકા થઈ ગયો છે. તેમણે કહ્યુ કે કોરોનાની અસરથી દેશની જીડીપી પર ખરાબ પ્રભાવ પડવાનો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
