એડ્રેસ બદલાવાથી ઇન્કમ ટેક્સ રિફંડ મળ્યું નથી? રિફંડ મેળવવા આમ કરો
ઘર બદલ્યા બાદ ઇન્કમ ટેક્સ ઓથોરિટીને આ અંગેની જાણ નહીં કરનારા અનેક ટેક્સ પેયર્સને તેમનું રિફંડ મળવામાં વિલંબ થાય છે અથવા મળતું નથી. ઘણીવાર ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે અનેક લોકો પોતાનું નવું એડ્રેસ તેમાં સુધારતા નથી.
જ્યારે રિફંડ તૈયાર થાય છે અને ટેક્સ પેયરના આપેલા એડ્રેસ પર મોકલવામાં આવે છે. ત્યારે ચેક મુંબઇમાં રહેલી ઓથોરિટી પાસે રિટર્ન આવે છે. આ કારણે જરૂરી છે કે જ્યારે પણ આપ રિટર્ન ફાઇલ કરો ત્યારે લેટેસ્ટ એડ્રેસ સાથે ફાઇલ કરો. રિફંડ આવવા દરમિયાન જો તેમાં કોઇ ફેરફાર થાય તો ઓથોરિટિને તરત જાણ કરો.

નવા એડ્રેસ પર ઇન્કમ ટેક્સ રિટર્ન મેળવવા માટે શું કરવું જોઇએ?
આ માટે આપે આપના એસેસિંગ ઓફિસરનો સંપર્ક કરવાનો રહે છે. તેમને આપના રેસિડેન્શિયલ એડ્રેસમાં થયેલા ફેરફારની જાણ કરવી પડે છે. અધિકારી આપને નોંધ લીધાની જાણ કરે ત્યાર બાદ આપે રિફંડ રિઇશ્યુ કરવા માટે ફરીથી અરજી કરવી જોઇએ. આપને નવા એડ્રેસ અંગે નોટિફિકેશન મળે ત્યાર બાદ આપ રિફંડ મેળવવા ઓનલાઇન પણ અરજી કરી શકો છો.
ECSનો અમલ શા માટે નહીં?
ઇસીએસ ક્રેડિટના કોન્સેપ્ટનો અમલ હજી પણ ઇન્કમ ટેક્સ રિફંડ માટે સંપૂર્ણ રીતે થઇ શક્યો નથી. આનો અર્થ એ થયો કે જો આપે એડ્રેસ બદલ્યું અને રિફંડ સ્પીડ પોસ્ટ મારફતે મોકલવામાં આવ્યું તો તે અનલિડિવર્ડ તરીકે દર્શાવવામાં આવશે. આ મોટી સમસ્યા છે. અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે શા માટે રિફંડ ઇસીએસ, એઇએફટી કે આરટીજીએસ મારફતે આપવામાં આવતું નથી.
બેંગલોર જેવા શહેરમાં આજે પણ લોકોને તેમનું રિફંડ ચેક મારફતે મળે છે. જેમાંથી કેટલાકનું બેંક એકાઉન્ટ બદલાઇ જવાથી તેમને મુશ્કેલી નડે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
