આનંદો! હવે નકલી નોટ લઇને અસલી નોટ આપશે બેન્ક

આરબીઆઇએ હાલમાં જ એક જાહેરનામુ બહાર પાડ્યું હતું જે એક જુલાઇથી લાગુ થઇ ગયું છે. બેન્કોને આરબીઆઇને રિપોર્ટિંગ કરવું ઓગસ્ટ 2013થી પ્રારંભ થશે. જો બેન્ક 100 અથવા એથી પણ વધારે નકલી નોટોની ઓળખ કરીને સૂચના આરબીઆઇ અને પોલીસને આપી દેશે તો નુકસાનની 25 ટકા ભરપાઇ આરબીઆઇ કરશે.
જાહેરનામા અનુસાર સામાન્ય વ્યક્તિ પર નકલી નોટોનું ભારણ પડવું જોઇએ નહીં. આરબીઆઇનું માનવું છે કે બેન્કોની વ્યવસ્થા એટલી અસરકારક બને કે તે નકલી નોટોનું જોખમ ઉઠાવવા માટે સમર્થ બને.
બેન્ક જો નકલી નોટોને પકડવામાં અસક્ષમ નીવડશે તો માનવામાં આવશે કે બેન્ક પણ નકલી નોટોના વહનમાં ભાગીદાર છે અને તેમની પર યોગ્ય કાનૂની કાર્યવાહી કરીને દંડ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
