હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી, જાણો રૂટ અને ભાડું
હવે તમે દેશની સુંદર જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકો છો. એટલું જ નહીં હવે ફ્લાઈટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બનશે. વાસ્તવમાં એરલાઇન કંપની ઇન્ડિગોએ ઘણી નવી સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે.
નવી દિલ્હી : હવે તમે દેશની સુંદર જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકો છો. એટલું જ નહીં હવે ફ્લાઈટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બનશે. વાસ્તવમાં એરલાઇન કંપની ઇન્ડિગોએ ઘણી નવી સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે. આ સાથે ઈન્ડિગોએ જણાવ્યું છે કે, અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.

એરલાઈન કંપની ઈન્ડિગોએ આપી માહિતી
એરલાઇન કંપની ઇન્ડિગોનું કહેવું છે કે, ડાયરેક્ટ કનેક્ટિવિટી મુસાફરીને સરળ બનાવશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓનેઅનોખો અનુભવ આપશે.
આનાથી મુસાફરો માટે મુસાફરીનું આયોજન પણ સરળ બનશે. આ અગાઉ એરલાઈને શિલોંગ અને દિબ્રુગઢ વચ્ચે 2 નવેમ્બર, 2021થી સીધીફ્લાઈટ શરૂ કરી છે. તેનું પ્રારંભિક ભાડું માત્ર 1400 રૂપિયા છે.

કેવી રીતે બૂક કરશો?
જો તમે પણ સસ્તી મુસાફરી કરવા માંગો છો, તો તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો.
આ સિવાય મુસાફરો એરલાઇનની સત્તાવારવેબસાઇટ https://www.goindigo.in/ પર જઇને ઇન્ડિગોની ફ્લાઇટ માટે ટિકિટ બૂક કરાવી શકો છો.

12 કલાકની મુસાફરી માત્ર 75 મિનિટમાં
ઉલ્લેખનીય છે કે, પરિવહનના કોઈ સીધા માધ્યમો ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને શિલોંગ અને દિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરવા માટે રોડ અને ટ્રેન દ્વારા 12 કલાકનીલાંબી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે, પરંતુ હવે માત્ર 75 મિનિટની ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરીને બે શહેરો વચ્ચે સરળતાથી ઉડાન ભરી શકાશે.

કયા શહેરોના રૂટનું કેટલું ભાડું
- જમ્મુ થી લેહ - રૂપિયા 1854
- લેહથી જમ્મુ - રૂપિયા 2946
- ઈન્દોરથી જોધપુર - રૂપિયા 2695
- જોધપુરથી ઈન્દોર - રૂપિયા 2735
- પ્રયાગરાજથી ઈન્દોર - રૂપિયા 3429
- ઈન્દોરથી પ્રયાગરાજ - રૂપિયા 3637
- લખનઉ થી નાગપુર - રૂપિયા 3473
- નાગપુર થી લખનઉ - રૂપિયા 3473












Click it and Unblock the Notifications
