કેન્દ્ર સરકારે રાહત આપી, હવે પેંશનર્સ ઘરે બેઠા આ કામ કરી શકશે
કેન્દ્ર સરકારે રાહત આપી, હવે પેંશનર્સ ઘરે બેઠા આ કામ કરી શકશે
નવી દિલ્હીઃ કોરોના સંકટ કાળમાં કેન્દ્ર સરકારે કેટલાય નિયમોમાં બદલાવ કર્યા છે. મોદી સરકારે વધુ એક રાહત આપતાં રિટાયર થયેલા કર્મચારીઓને ભેટ આપી છે. સરકારે નવા નિયમ મુજબ હવે સરકારી કર્મચારી ઘરે બેઠા-બેઠા જ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે છે. જણાવી દઈએ કે સરકારે પેંશનધારકોને પોતાના જીવન પ્રમાણપત્ર કરાવવાના મામલે મોટી રાહત આપી છે, જે મુજબ હવે પેંશનર્સ પોસ્ટમેનની મદદથી ઘરે બેઠા જ પોતાના જીવન પ્રમાણપત્ર જમા કરાવી શકશે. જેને ઈન્ડિયન પોસ્ટ બેંક અને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ખાતાએ મળીને શરૂ કર્યું છે.

કાર્મિક, લોક ફરિયાદ અને પેંશન મંત્રાલયના નવા આદેશ મુજબ હવે પેંશન ધારકો પોસ્ટમેનની મદદથી ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પોતાની બેંકમાં જમા કરાવી શકે છે. સરકારે કોરોના સંકટને ધ્યાનમાં રાખી આ ફેસલો લીધો છે. સરકારે કહ્યું કે કેન્દ્ર સરકારના રિટાયર્ડ કર્મચારી પોસ્ટમેનની મદદથી પોતાનું જીવન પ્રમાણપત્ર ઓનલાઈન જમા કરાવી શકે છે. જો કે તમને જણાવી દઈએ કે આ સેવા ફ્રી નહિ હોય. આ સર્વિસ માટે તમારે ચાર્જ આપવો પડશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર 2014માં જ જીવન પ્રમાણ પોર્ટલના માધ્યમથી જીવન પ્રમાણપત્ર ઓનલાઈન જમા કરવાની સુવિધા શરૂ થઈ હતી.
જણાવી દઈએ કે પેંશનધારકોએ સમયે સમયે પોતાના જીવનપત્ર જમા કરાવવાના હોય છે. તેમણે ઑફલાઈનની સાથે જ ઑનલાઈન લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવાની પણ સુવિધા આપવામાં આવી છે. ઑફલાઈન સર્ટિફિકેટ જમા કરાવવાની તારીખ 1 નવેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે હોય છે. જ્યારે તમે ઓનલાઈન માધ્યમથી પણ પોતાનું લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી







Click it and Unblock the Notifications
