પ્રવાસી ભારતીય દિવસ દરમિયાન NRIs હેરિટેજ બિલ્ડિંગ્સમાં રોકાણ કરી શકે
અમદાવાદ, 3 જાન્યુઆરી : ગુજરાતના ગાંધીનગરમાં યોજાવા જઇ રહેલા વાઇબ્રન્ટ ગુજરાત 2015 અને પ્રવાસી ભારતીય દિવસનો લાભ અમદાવાદના હેરિટેજ બિલ્ડિંગ્સને પણ મળે એવી ઉજળી શક્યતાઓ છે. વાસ્તવમાં આ બંને કાર્યક્રમોમાં હાજરી આપવા આવનારા એનઆરઆઇસ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ અમદાવાદના હેરિટેજ બિલ્ડિંગ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે. આ કારણે તેનો સીધો લાભ અમદાવાદના પ્રોપર્ટી માર્કેટને મળશે.
મહત્વની બાબત એ છે કે અમદાવાદના કોટ વિસ્તાર એટલે કે જુના અમદાવાદ શહેરમાં આવેલી મોટા ભાગની હેરિટેજ બિલ્ડિંગ્સને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે એનઆરઆઇસ કે પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સ આ બિલ્ડિંગની જાળવણી માટે તેમાં રોકાણ કરવાને બદલે તેને પ્રોફિટ મેકિંગ સેન્ટર્સ તરીકે ડેવલપ કરવાની ઇચ્છા રાખે છે.

મોટા ભાગના કિસ્સાઓમાં આ હેરિટેજ બિલ્ડિંગ ખરીદાયા બાદ તેમાં સ્ટુડિયો અપાર્ટમેન્ટ્સ કે દુકાન શરૂ કરવામાં આવે છે. આ ટ્રેન્ડે છેલ્લા 5 વર્ષમાં વધારે વેગ પકડ્યો છે. જે અંતર્ગત કેન્યાના નૈરોબીમાં રહેતા ચંદ્રકાંત ડોરિયાએ 150 વર્ષ જુની સુનીલભાઇની હવેલી રૂપિયા 80 લાખમાં ખરીદી છે. તેઓ અહીં રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટ બનાવવા માંગે છે.
એવી જ રીતે એક ખાનગી રોકાણકાર ચેતન આર શાહે 2012માં બીડી આર્ટ્સ કોલેજ એન્ડ હોમ સાયન્સ કેમ્પસ રૂપિયા 15 કરોડમાં ખરીદ્યું હતું. તેઓ ત્યાં ફુલ્લી એરકન્ડિશન્ડ સોના ચાંદીનું માર્કેટ બનાવવા માંગે છે. જ્યાં માણેકચોકમાં બેસતા સોનીઓ પોતાની દુકાનો શરૂ કરી શકશે. આ માટે તેઓ 5 માળનું અને 150 દુકાનો ધરાવતું બિલ્ડિંગ તૈયાર કરાવ્યું છે.
પ્રવાસી ભારતીય દિવસમાં આવતા પ્રવાસીઓ હેરિટેજ વૉક અને હેરિટેજ સ્ટે કરી શકે તેવા આશયથી પણ હવે હેરિટેજ બિલ્ડિંગ્સને હેરિટેજ હોટેલ્સમાં ફેરવવામાં આવી રહ્યા છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
