પાન કાર્ડ આધાર કાર્ડ લિંક કરવાનો આજે છેલ્લો દિવસ, આજે જ કરી લો નહિંતર...
PAN-Aadhaar Link : આવકવેરા વિભાગ દ્વારા લોકોને સતત પાન કાર્ડ આધાર સાથે લિંક કરવા માટે જણાવવામાં આવી રહ્યું છે. આ ડૉક્યુમેન્ટને લિંક કરાવવાની આજે છેલ્લી તારીખ છે. જો તમે PAN-Aadhaar Link 30 જૂન, 2023 સુધીમાં નહીં કરાવો, તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.
આવકવેરા વિભાગે કર્યું હતું ટ્વીટ
આ સિવાય 50,000 રૂપિયાથી વધુના બેંકિંગ વ્યવહાર કરવા માટે પણ જરૂરી છે. આવકવેરા વિભાગ દ્વારા આ અંગે ટ્વીટ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી કરોડો લોકો તરફથી પાન કાર્ડ અને આધારને લિંક કરવામાં આવ્યા નથી. હવે તમારે આધાર અને પાન કાર્ડને એકબીજા સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ચૂકવવો પડશે.

આ અગાઉ આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2022 હતી, પરંતુ હવે સરકારે 1000 રૂપિયાના દંડ સાથે આ બંનેને લિંક કરવાની છેલ્લી તારીખ વધારીને 31 માર્ચ, 2023 કરી દીધી હતી. જે બાદ આ તારીખ લંબાવીને 30 જૂન કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, કેટલાક લોકોને PAN ને આધાર સાથે લિંક કરવાની છૂટ આપવામાં આવી છે. જેમાં આસામ, જમ્મુ-કાશ્મીર અને મેઘાલયના લોકો, NRI, વિદેશી નાગરિકો અને 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને છૂટ આપવામાં આવી છે.
કેવી રીતે ચૂકવશો દંડની રકમ
આ માટે તમારે સૌથી પહેલા ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. આ લિંક પર ક્લિક કરીને, તમે સીધા યોગ્ય સ્થાન પર પહોંચી જશો. - https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
અહીં સ્પષ્ટપણે સૂચવવામાં આવ્યું છે કે, CBDT પરિપત્ર F. No. 370142/14/22-TPL તારીખ 30 માર્ચ, 2022ના રોજ, જેમને 1લી જુલાઈ 2017 સુધી પાન કાર્ડ આપવામાં આવ્યું હતું, તેઓએ 30 જૂન 2023 સુધીમાં આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક કરાવવું ફરજિયાત છે.
બીજી તરફ જે કરદાતાઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે, તેઓને 30 જૂન, 2023 સુધી 1000 રૂપિયાની ફી સાથે આમ કરવાની છૂટ આપવામાં આવી હતી અને જેઓ આ તારીખ સુધી આમ કરવામાં નિષ્ફળ ગયા છે, તેઓનું પાન કાર્ડ ઇનવેલિડ થઇ જશે.
જો આધાર લિંક નહીં થાય તો શું થશે?
- સૌથી પહેલા તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. તમે તેનો દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકશો નહીં.
- તમને કોઈપણ બાકી ટેક્સ રિફંડ અથવા રિફંડ પર વ્યાજ મળશે નહીં.
- તમારો TDS દર વધશે. જેથી તમારે ઊંચા દરે TDS ચૂકવવો પડશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
