Pan Card : ઘરે બેઠા ઓનલાઈન પાન કાર્ડ કઢાવી શકો છો, જાણો કેવી રીતે?
હવે પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવાથી લઈને તમામ રૂપિયાને લગતા વ્યવહારો માટે ફરજીયાત થઈ ગયો છે. પાન કાર્ડ દરેક નાગરિક માટે ખૂબ જ ઉપયોગી છે.
સરકાર પાન કાર્ડ દ્વારા તમારી આવક અને ખર્ચ સંબંધિત તમામ વિગતો પર નજર રાખે છે. મોટાભાગના કામોમાં પાન કાર્ડનો ઉપયોગ થાય છે. દરેક કામ માટે તમારે પાન કાર્ડની જરૂર હોય છે ત્યારે તમે ઘરેથી કઢાવી શકો છો.

જો તમારી પાસે પાન કાર્ડ નથી અને બનાવવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે સરળતાથી પાન કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. આજે અમે તમને પાન કાર્ડ માટે આવેદન કરવાની પ્રક્રિયા જણાવવા જઈ રહ્યા છીએ.
પાન કાર્ડ કઢાવવા માટે તમારે આવકવેરા વિભાગના ટેક્સ ઇન્ફોર્મેશન નેટવર્કની સત્તાવાર વેબસાઇટ http://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જવાનું રહેશે.
અહીં તમારે નવું પાન કાર્ડ બનાવવુ સર્ચ કરવાનું રહેશે. તમારા માટે તે ધ્યાનમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તેની શ્રેણી વ્યક્તિગત છે કે સંસ્થાની.
તમારે તમારી મહત્વપૂર્ણ માહિતી NSDL વેબસાઇટ પર ખૂબ જ કાળજીપૂર્વક ભરવાની રહેશે. આ માહિતીમાં તમારું નામ, અટક, શીર્ષક અને જન્મ તારીખનો સમાવેશ થાય છે. તમારે બધી માહિતી ખૂબ જ કાળજીપૂર્વક ભરવાની છે, જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ ન થાય.
તેના પર તમારે તમારું ઈમેલ આઈડી પણ લખવાનું રહેશે. આ સાથે તમારે તમારો મોબાઈલ નંબર પણ આપવો પડશે. આ પછી તમારે એપ્લિકેશન સબમિટ કરવાની રહેશે.
આ પછી તમારે સરકારી ફી ચૂકવવી પડશે. જો તમે સામાન્ય પાન કાર્ડ બનાવો છો તો તમારે લગભગ 93 રૂપિયા ફી ચૂકવવી પડશે. વિદેશી નાગરિકો માટે આ ફી અલગ છે.
તમે ઓનલાઈન મોડમાં પેમેન્ટ કરી શકો છો. જો તમે ઇચ્છો તો ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા પણ ફી ચૂકવી શકો છો. આ પછી તમારે જરૂરી દસ્તાવેજો પણ મોકલવાના રહેશે. તમારા દ્વારા મોકલવામાં આવેલ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે તમારા ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન થઈ જશે ત્યારે વેરિફિકેશન પછી તમને પાન કાર્ડ આપી દેવાશે.
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ



Click it and Unblock the Notifications
