આખરે પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢાને ડેટ કરવા મુદ્દે ચુપ્પી તોડી, જાણો શું છે હકિકત?
આ દિવસોમાં બોલિવૂડની હસીના પરિણીતી ચોપરા અને યુવા રાજનેતા રાઘવ ચઢ્ઢાની લવ સ્ટોરીની ખુબ ચર્ચા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા બાદ એ ચર્ચા ચાલી રહી છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લગ્નની તૈયારી કરી રહ્યા છે. જો કે હવે પરિણીતી ચોપરાએ આ મુદ્દે ખુલ્લીને વાત કરી છે.
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર બન્નેના અફેરને લઈને ચર્ચાનું બજાર ગરમ છે ત્યારે હવે પરિણીતી ચોપરાએ ખુદ ચુપ્પી તોડી છે. જો કે તેને ખુલ્લીને કોઈ વાત કરવાની જગ્યાએ કહ્યું કે, તેને ઠીક લાગશે ત્યારે જવાબ આપશે. પરિણીતીએ કહ્યું કે, મીડિયામાં મારી ચર્ચા કરવી અને લાઇન ક્રોસ કરવી એમાં થોડો તફાવત છે.

પરિણીતી ચોપરાએ કહ્યું કે, જો કોઈ ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે તો હું ચોક્કસપણે તેના વિશે વાત કરીશ. જો મને લાગે કે તે જરૂરી નથી તો હું તેને સાફ નહીં કરું. જો લોકોને મારામાં રસ ન હોય તો એનો અર્થ એ થશે કે એક અભિનેત્રી તરીકે મારે જે સફળતા મેળવવી જોઈતી હતી તે મને મળી નથી.
પરિણીતીએ આગળ વાત કરતા કહ્યું કે, જો દુનિયાને મારા વિશે જાણવામાં રસ ન હોય તો હું મારી જાતને નિષ્ફળ ગણીશ. જો દુનિયા મારા વિશે જાણવા માંગે છે તો તેનો અર્થ એ છે કે મેં મારા કરિયરમાં કંઈક સારૂ કર્યુ છે. હું આ બધી બાબતોને હકારાત્મક રીતે જોઉં છું.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ પરિણીતી ચોપરા રીંગ ફિંગરમાં રિંગ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તેની અને રાઘવ ચઢ્ઢાની સગાઈની અટકળો લાગી રહી છે. હાલમાં જ રાઘવ ચઢ્ઢાને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ઉજવણી થશે પરંતુ તે યોગ્ય સમયે તેના વિશે વાત કરશે.












Click it and Unblock the Notifications
