Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પાર્થસારથી શોમ નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિમાયા

parthasarathi-shome
નવી દિલ્હી, 6 ડિસેમ્બર : કેન્દ્ર સરકારે આજે કર વિશેષજ્ઞ પાર્થસારથી શોમની નિયુક્તિ નાણા પ્રધાન પી ચિદમ્બરમના સલાહકાર તરીકે કરી છે. તેમનો દરજ્જો રાજ્યમંત્રી કક્ષાનો હશે.

સરકાર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે "પાર્થસારથી શોમને નાણા પ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમને રાજ્યમંત્રી કક્ષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમનો કાર્યકાળ વર્તમાન નાણા પ્રધાનના કાર્યકાળ સુધી હશે."

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને શામને ગત જુલાઇમાં સામાન કર પરિવર્જન રોધી નિયમ (ગાર) પર પુનર્વિચાર કરવા માટે બનાવવામાં આવેલી વિશેષજ્ઞ સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા.

આ સમિતિએ સપ્ટેમ્બર, 2012માં પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. આ રિપોર્ટમાં ગારનું અમલીકરણ ત્રણ વર્ષ પછી એટલે કે એપ્રિલ 2016થી લાગુ કરવા ભલામણ કરવામાં આવી હતી. આ સમિતિએ પોતાનો અંતિમ અહેવાલ સરકારને ઑક્ટોબરમાં સોંપ્યો હતો. ઉલ્લેખનીય છે કે શોમ આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ, વિશ્વ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સંકળાયેલા રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X