આંતરરાષ્ટ્રીય બજારમાં વધ્યા ક્રૂડ ઓઈલના ભાવ, જાણો ભારતમાં શું છે સ્થિતિ?
શનિવારે નવમાં દિવસે પણ ઈંધણ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવી દિલ્લીઃ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં કોરોના વાયરસની એન્ટ્રી થઈ જેના કારણે માર્ચમાં સરકારે લૉકડાઉન લગાવવુ પડ્યુ. ત્યારબાદ દેશની અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગઈ. સાથે જ સામાન્ય લોકોના જીવન પર પણ બહુ ખરાબ અસર પડી. લોકોને આશા હતી કે બજેટ બાદ જનતાને મોંઘવારીથી રાહત મળશે પરંતુ તેનાથી ઉલટુ થયુ જ્યાં પેટ્રોલ-ડીઝલ અને ગેસમાં ભાવોએ બધા રેકૉર્ડ તોડી દીધા. શનિવારે નવમાં દિવસે પણ ઈંધણ કંપનીઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

વાસ્તવમાં ગયા સપ્તાહે ગુરુવારે પેટ્રોલના ભાવમાં 16 પૈસા અને ડીઝલના ભાવમાં 14 પૈસાના ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજધાની દિલ્લીમાં પેટ્રોલ 90.40 રૂપિયા અને 80.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયુ હતુ જે હજુ પણ સ્થિર છે. જો કે આ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં ઈંધણના ભાવમાં ઘટાડો આવ્યો હતો પરંતુ હવે એક વાર ફરીથી તેમાં વધારો જોવા મળી રહ્યો છે. એવામાંં આગલા સપ્તાહે પણ ભાવ ઘટવાની આશા નથી.
આ છે આજના ભાવ(રૂપિયા/પ્રતિ લિટર)
દિલ્લી - પેટ્રોલ- 90.40, ડીઝલ - 80.73
મુંબઈઃ પેટ્રોલ - 96.83, ડીઝલ - 87.81
ચેન્નઈઃ પેટ્રોલ - 92.43, ડીઝલ - 85.75
કોલકત્તાઃ પેટ્રોલ - 90.62, ડીઝલ - 83.61
બેંગલુરુઃ પેટ્રોલ - 93.43, ડીઝલ - 85.60
નોઈડાઃ પેટ્રોલ - 88.79, ડીઝલ - 81.19
લખનઉઃ પેટ્રોલ - 88.72, ડીઝલ - 81.13
પટનાઃ પેટ્રોલ - 92.74 ડીઝલ - 85.97
તમને જણાવી દઈએ કે ઈંધણ કંપનીઓ રોજના ભાવ નક્કી કરે છે જેના કારણે રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અલગ-અલગ રહેલ છે. જો તમારે પોતાના શહેરના પેટ્રોલ-ડીઝલના ભાવ જાણવા હોય તો એસએમએસ દ્વારા જાણી શકો છે. આના માટે તમારે RSP સ્પેસ પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 9224992249 પર મોકલવો પડશે.
-
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
