રઘુરામ રાજન - અરૂણ જેટલીએ ફુગાવો, અર્થતંત્ર અંગે ચર્ચા કરી
નવી દિલ્હી, 27 મે : આજે દેશના નવા નાણાં અને ઉદ્યોગ બાબતોના પ્રધાન અરૂણ જેટલી અને ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન વચ્ચે બેઠક યોજાઇ હતી. અત્યંત મહત્વની ગણાતી બેઠકમાં બંનેએ મોંઘવારીને ઘટાડવાની ખાતરી આપી છે. આ ઉપરાંત તેમણે દેશના અર્થતંત્રની ગાડી પાટે લાવવા માટે કેવા પ્રયાસો કરવા તે અંગે પણ ચર્ચા કરી છે.
રીઝર્વ બેન્કની આર્થિક નીતિની સમીક્ષા પૂર્વે રાજન આજે અરૂણ જેટલીને મળ્યા હતા. રાજને બાદમાં પત્રકારોને કહ્યું કે કેન્દ્ર સરકાર અને આરબીઆઈ, બંને ફૂગાવાને અંકુશમાં રાખવા માટે પ્રયત્નશીલ છે. રાજન અને જેટલી વચ્ચે લગભગ 50 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી.

રાજને જણાવ્યું કે, ફૂગાવાને અંકુશમાં લાવવો તે મહત્વની કામગીરી છે. સરકાર અને આરબીઆઈ તેમાં પ્રવૃત્ત છે. અરૂણ જેટલીએ આજે નાણાં પ્રધાન તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ આર્થિક વિકાસદરમાં થયેલા ઘટાડાને રોકવા અને ફૂગાવાના આંકને કાબૂમાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
અરૂણ જેટલીએ કહ્યું છે કે સરકાર ખાતરી આપે છે કે મોંઘવારીને કાબૂમાં રાખવામાં આવશે, અર્થતંત્રમાં ઈન્વેસ્ટરોનો વિશ્વાસ પ્રસ્થાપિત કરવામાં આવશે અને નાણાકીય ખાધને અંકુશમાં રાખી આર્થિક વિકાસને વેગ આપવામાં આવશે. ઉંચા ફૂગાવાના દરને લીધે આરબીઆઈને તેના વ્યાજના દરો ઉંચા રાખવાની ફરજ પડી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
