US ડોલરનો પ્રવાહ નિયંત્રિત કરવા RBI સરકારી બોન્ડ વેચશે
મુંબઇ, 23 એપ્રિલ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ચાર વર્ષમાં પહેલીવાર સરકારી બોન્ડ વેચવા પર વિચાર કરી શકે છે. આમ કરવાનો મુખ્ય હેતુ દેશમાં અમેરિકન ડોલરના જબરદસ્ત પ્રવાહને નિયંત્રિત કરાવાનો છે.
લોકસભા ચૂંટણી 2014 બાદ તેમાં વધારે તેજી આવી શકે છે. માર્કેટ સ્ટેબિલાઇઝેશન સ્કીમ (એમએસએ) અંતર્ગત આરબીઆઇએ સોમવારે 2014-15માં સરકારી સિક્યુરિટિઝના વિચાણ માટે 50,000 કરોડ રૂપિયા સુધીની સીમા નક્કી કરી છે. આ સ્કીમને વર્ષ 2004માં શરૂ કરવામાં આવી હતી. જેનો હેતુ સિસ્ટમમાંથી જરૂર કરતા વધારે કેશને દૂર કરવાનો હતો.

આ અંગે કેટલાક બેંકિંગ એક્સપર્ટટ્સનું કહેવું છે કે હાલ માર્કેટ સ્ટેબિલાઇઝેશન બોન્ડ રજૂ કરવાની જરૂર નથી. કારણ કે માર્કેટની સ્થિતિ એવી નથી. ઓએમઓ (ઓપન માર્કેટ ફોર લિક્વિડિટી ઇન્ફ્યુઝન) અને એમએસએસ બોન્ડ એક સાથે ચાલી શકતા નથી. જો કે વર્ષ 2014-15 માટે જો જરૂર પડી તો એફઆઇઆઇના રોકાણને આધારે આરબીઆઇ આ અંગે નિર્ણય કરી શકે છે.
ડીલર્સના જણાવ્યા અનુસાર 16 મેના રોજ મતગણતરી બાદ નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકાર બનવાની આશા છે. જેના પરિણામે વિદેશી ફંડોના પ્રવાહને બળ મળી શકે છે. જો કે રોકાણકારોનો એક વર્ગ એવું માને છે કે સિસ્ટમમાં નાણાની પ્રવાહિતતા ઘટશે તો આરબીઆઇ માર્કેટમાં 50,000થી 60,000 કરોડ રૂપિયા વહેતા કરવા ઓપન માર્કેટ ઓપરેસન્સની પરવાનગી આપી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર વર્ષ 2013-14માં ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ એટલે કે એફઆઇઆઇએ ભારતીય શેરો અને ડેટ સિક્યુરિટિઝમાં માત્ર 5 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં આ આંકડો 27 અબજ ડોલરનો હતો.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
