RBI Monetary Policy: વ્યાજદરમાં કોઈ વધારો નહીં થાય, રેપો રેટ 6.50% યથાવત રખાયો
મોનેટરી પોલિસી કમિટીની બેઠક મળી હતી જેમાં રેપોરેટ 6.50% યથાવત રાખવાનનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે ઘોષણા કરી છે. હવે રેપો રેટમાં કોઈ વધારો ના થતાં નાગરિકો પર વધારાનો વ્યાજનો બોજો નહીં પડે.

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મૉનિટરી કમિટીએ પોલિસી રેટમાં સતત ત્રીજીવાર કોઈ બદલાવ નથી કર્યો. હાલના સમયમાં આરબીઆઇનો રેપો રેટ 6.50% પર જ રહેશે. અગાઉ આરબીઆઇએ એપ્રિલ અને જૂનની પૉલિસી સાઇકલમાં પણ વ્યાજદજર પૉઝ જ રાખ્યો હતો. રેપો રેટમાં છેલ્લે ફેબ્રુઆરી 2023માં બદલાવ જોવા મળ્યો હતો. તે સમયે આરબીઆઇએ 0.25 ટકાનો વધારો કર્યો હતો.
આરબીઆઇએ મે 2022થી ફેબ્રુઆરી 2023 સુધી વ્યાજદરમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે,ભારતીય ઈકોનોમી યોગ્ય ગતિથી આગળ વધી રહી છે તે જાજોઈને આનંદ થઇ રહ્યો છે. ભારતના મજબૂત બુનિયાદી સિદ્ધાંતોએ સતત વિકાસનો પાયો રાખ્યો છે. દુનિયા માટે ભારત નવું ગ્રોથ એન્જીન બની શખે છે.
RBIએ જીડીપી અનુમાનમાં કોઈ બદલાવ ના કર્યો
જ્યારે બીજી તરફ રિઝર્વ બેંકે પોતાની જીડીપી અનુમાનમાં કોઈ બદલાવ કર્યો નથી. નાણાકીય વર્ષ 2023-24ના જીડીપી અનુમાનને 6.5 ટકા પર જ રાખ્યો છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરનું અનુમાન 8 ટકા, જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.5 ટકા, ઓક્ટોબરથી ડિસેમ્બર ક્વાર્ટરમાં 6 ટકા અને જાન્યુઆરીથી માર્ચ્ ક્વાર્ટરમાં જીડીપી અુમાન 5.7 ટકા રાખ્યો છે. જ્યારે આગેલા નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટરમાં જીડીપી અનુમાન 6.6 ટકા કરી દીધો છે.
મુસિબત બની રહી છે મોંઘવારી
વાસ્તવમાં દેશમાં મોંઘવારી રિઝર્વ બેંક માટે મોટી મુસીબત બની રહી છે. કેટલાય પોલ અને અનુમાનો અનુસાર જુલાઈના મહિનામાં રિટેલ મોંઘવારી 6.5 ટકાથી લઇ 6.70 ટકા સુધી આવી શકે છે. મે મહિનામાં રિટેલ મોંઘવારી 4.25 ટકા હતી અને જૂનના મહિનામાં તે વધીને 4.80 ટકા પર આવી ગઈ હતી, જે આ વર્ષના ઉચ્ચતમ પણ જણાવવામાં આવ્યું હતું. એવામાં આરબીઆઇ સમક્ષ સૌથી મોટો પડકાર એ છે કે આગામી મહિનાઓ માટે આરબીઆઇ મોંઘવારીના કેવા પ્રકારના અનુમાનિત આંકડા જાહેર કરે છે, કેમ કે રિઝર્વ બેંકે જે પાછલા આંકડા રજૂ કર્યા હતા તે સંપૂર્ણપણે ધ્વસ્ત થઇ ગયા છે.
તેમણે કહ્યું કે એમપીસીએ સર્વસમ્મતિથી રેપો રેટ 6.5 ટકા સાથે કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જ્યારે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસેલિટી રેટમાં પણ કોઈ બદલાવ નથી કર્યો. એમએસએફઆરને પણ 6.75 ટકા સાથે યથાવત રાખવામાં આ્યો છે. આરબીઆઈ ગવર્નરે કહ્યું કે એમપીસી મોંઘવારીને 4 ટકા બનાવી રાખવા માટે આગળ વધી રહી છે. તેમણે કહ્યું કે ગ્લોબલ ઈકોનોમીને સતત અઘરા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
