નોટબંધીના 69 દિવસો બાદ આખરે સરકારે આપી રાહત
ભારતીય રિઝર્વ બેન્કે આખરે બચત ખાતાધારકોને રાહત આપવાનું નક્કી કર્યું છે. હવે એટીએમમાંથી રૂપિયા 10 હજાર સુધીની રકમ ઉપાડી શકાશે.
ભારતીય રિઝર્વ બેન્કે બચત ખાતાધારકોને રાહત આપતા એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. દેશમાં નોટબંધીનો નિયમ લાગુ પડ્યા બાદ એટીએમમાંથી માત્ર રૂપિયા 4000 સુધી જ ઉપાડી શકાતા હતા, ત્યાર બાદ આ નિશ્ચિત માત્રા વધારીને રૂપિયા 4500 કરવામાં આવી હતી. હવે આરબીઆઇ એ બચત ખાતાધારકો માટે આ સીમા વધારીને રૂપિયા 10 હજાર કરી છે, પરંતુ એક સપ્તાહમાં બચત ખાતા ધારક રૂપિયા 24 હજાર જ ઉપાડી શકશે.

કરન્ટ ખાતાધારકો માટે ઉપાડની સીમા રૂપિયા 50 હજારથી વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ સિવાયના કોઇ નિયમમાં આરબીઆઇ એ હજુ ઢીલ મુકી નથી. આ પહેલાં આરબીઆઇ એ એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સીમા અંગેનો નિયમ 28 નવેમ્બરે બદલ્યો હતો.
More From
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
