For Quick Alerts
For Daily Alerts
નોટબંધીના 69 દિવસો બાદ આખરે સરકારે આપી રાહત
ભારતીય રિઝર્વ બેન્કે આખરે બચત ખાતાધારકોને રાહત આપવાનું નક્કી કર્યું છે. હવે એટીએમમાંથી રૂપિયા 10 હજાર સુધીની રકમ ઉપાડી શકાશે.
ભારતીય રિઝર્વ બેન્કે બચત ખાતાધારકોને રાહત આપતા એટીએમમાંથી 10 હજાર રૂપિયા ઉપાડવાની પરવાનગી આપી છે. દેશમાં નોટબંધીનો નિયમ લાગુ પડ્યા બાદ એટીએમમાંથી માત્ર રૂપિયા 4000 સુધી જ ઉપાડી શકાતા હતા, ત્યાર બાદ આ નિશ્ચિત માત્રા વધારીને રૂપિયા 4500 કરવામાં આવી હતી. હવે આરબીઆઇ એ બચત ખાતાધારકો માટે આ સીમા વધારીને રૂપિયા 10 હજાર કરી છે, પરંતુ એક સપ્તાહમાં બચત ખાતા ધારક રૂપિયા 24 હજાર જ ઉપાડી શકશે.
કરન્ટ ખાતાધારકો માટે ઉપાડની સીમા રૂપિયા 50 હજારથી વધારીને રૂપિયા 1 લાખ કરવામાં આવી છે. આ સિવાયના કોઇ નિયમમાં આરબીઆઇ એ હજુ ઢીલ મુકી નથી. આ પહેલાં આરબીઆઇ એ એટીએમમાંથી રૂપિયા ઉપાડવાની સીમા અંગેનો નિયમ 28 નવેમ્બરે બદલ્યો હતો.
Comments
English summary
RBI raises ATM withdrawal limit to Rs 10,000 per day from existing Rs 4,500 per day with immediate effect.
Story first published: Monday, January 16, 2017, 19:10 [IST]