RBIએ SLR ઘટાડ્યો; રેપોરેટ યથાવત રાખ્યો
નવી દિલ્હી, 3 જૂન : આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ તેની ત્રિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરી છે. આ નીતિમાં તેણે વ્યાજદર યથાવત રાખ્યા છે. આ સાથે રેપો રેટ 8 ટકા, રિવર્સ રેપો રેટ 7 ટકા અને CRR 4 ટકા પર યથાવત રાખ્યા છે.
મહત્વની બાબત એ છે કે આશ્ચર્યજનક પગલાંમાં SLRમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. SLRમાં 0.50 બેસીસ પોઇન્ટનો ઘટાડો કરતા તે 23 ટકાથી ઘટીને 22.5 ટકા થયો છે. નવો SLR દર 14મી જૂનથી લાગુ થશે.

આરબીઆઈએ બેન્ક રેટમાં પણ કોઇ ફેરફાર ન કરતા 9 ટકા પર સ્થિર રાખ્યા છે. આ સાથે જ આરબીઆઈ ગવર્નર રઘુરામ રાજને આગામી વર્ષે જીડીપી પાંચછી છ ટકા વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
SLRમાં ઘટાડો બેંકોને બિન સરકારી ક્ષેત્રને વધુ લોન આપવાની સ્વતંત્રતા આપશે
આરબીઆઈએ જાન્યુઆરી 2016 સુધીમાં સીપીઆઇ આધારિત મોંઘવારી દર 6 ટકા સુધી લાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ સાથે જાન્યુઆરી 2015 સુધીમાં સીપીઆઇ આધારિત મોંઘવારી દર 8 ટકા પર રહેવાની ધારણા છે.
ત્રીજી ત્રિમાસિક નાણાં નીતિની આગામી સમીક્ષા 5 ઓગસ્ટ 2014ના રોજ કરવામાં આવશે. રઘુરામ રાજને મોંઘવારી દર 8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે આરબીઆઇએ પોતાની નીતિ જાહેર કરી એ પહેલા ગઇ કાલે આરબીઆઇના ગવર્નર રાજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પહેલા તેઓ નવા નાણા મંત્રી અરૂણ જેટલીને પણ મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા મોંઘવારી ઘટાડવાની રહેશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
