Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

RBI ડિપોઝિટ સ્વીકારતી નોન બેંકિંગ કંપનીઓને બંધ કરશે

rbi
નવી દિલ્હી, 20 જૂન : દૂધથી દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે એવી સ્થિતિમાં બંગાળમાં થયેલા શારદા ચીટ ફંડ કૌભાંડની જેમ દેશના અન્ય હિસ્સામાં આવા કૌભાંડ ન થાય તે માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ આ વિશે કડક પગલાં લેવાનું વિચાર્યું છે.

આરબીઆઈ દ્વારા આગામી સમયમાં જે કડક પગલા લેવાનો નિર્ણય લીધો છે તેમાં સામાન્ય જનતા પાસેથી ડિપોઝિટ સ્વીકારતી નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ પર પ્રતિબંધ લગાવી દેવાની શક્યતા છે. આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવે થોડા દિવસ પહેલાં નાણા વિભાગ દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં પોતાનો આ વિચાર રજુ કર્યો હતો.

સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે નાણાકિય સ્થિરતા અને વિકાસને લગતી બેઠકમાં સામાન્ય જનતા પાસેથી નાણાં એકત્ર કરીને ફાઈનાન્સ કંપનીઓ ચલાવતી સંસ્થાઓના નિયમો વિશે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ડી. સુબ્બારાવે ચોખ્ખુ જણાવ્યું હતું કે આગામી સમયમાં માત્ર કોમર્શિયલ બેન્કો કામ કરી શકશે અને માત્ર તેઓને સામાન્ય જનતા પાસેથી ડિપોઝિટ લેવાનો હક્ક આપવામાં આવશે. બેન્કો સિવાય જે સંસ્થાઓ પાસે આ હક્ક છે તે પરત ખેંચી લેવામાં આવશે.

આરબીઆઈના જણાવ્યા પ્રમાણે નોનબેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ ડિપોઝિટ નહીં લેવાનો નિર્ણય ધીમે ધીમે લેવામાં આવશે કે જેથી દેશના નાણાકીય રોકાણના કાર્યક્રમમાં કોઈ નુકસાન પહોંચી નહીં. આરબીઆઈએ નોનબેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓ બંધ કરતાં પહેલા ગામડે ગામડે જઈને કોમર્શિયલ બેન્કોના પ્રચાર અને સ્થાપના કરવી પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X