For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈન્ફોસિસના પુનર્ઘડતરમાં ઓછામાં ઓછા 3 વર્ષ લાગશે : નારાયણ મૂર્તિ

|
Google Oneindia Gujarati News

narayana-murthy
બેંગલોર, 15 જૂન : દેશની અગ્રણી સોફ્ટવેર સર્વિસીસ કંપની, ઈન્ફોસિસ લિમિટેડની આજે 32મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં કંપનીના એક્ઝિક્યૂટિવ ચેરમેન તરીકે એન આર નારાયણ મૂર્તિની નિમણૂંકને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે મૂર્તિએ કહ્યું કે કંપનીનું ઈચ્છનીય સ્તરે પુનર્ઘડતર કરતાં ઓછામાં ઓછા ત્રણેક વર્ષનો સમય લાગશે.

આ પ્રસંગે મૂર્તિએ જણાવ્યું કે કંપનીનું ટર્નઓવર વધારવા ઉપરાંત કર્મચારીઓની સુખાકારી ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરશે. એજીએમમાં મૂર્તિની નિયુક્તિ અંગે ભૂતપૂર્વ ચેરમેન કે વી કામથે પણ સંબોધન કર્યું હતું. કામથે કહ્યું કે મૂર્તિની નિમણૂંક માટે બોર્ડનું મંતવ્ય ઉપરાંત કાનૂની સલાહ પણ લેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઈન્ફોસિસમાં તેના સ્થાપક મૂર્તિની પુનઃ નિમણૂંકના મામલે માર્કેટ રેગ્યૂલેટર સેબીએ કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા હતા. આજની એજીએમમાં મૂર્તિએ કંપનીની ભાવિ બિઝનેસ વ્યૂહરચનાનો ચિતાર રજૂ કર્યો હતો. કંપની મોટા પ્રોજેક્ટ હાંસલ કરવા પર ફરી તેનું ધ્યાન કેન્દ્રિત કરશે.

English summary
Rebuilding Infosys will take atleast 3 years : Narayana Murthy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X