અંબાણી બંધુઓની વચ્ચે થયો 12,000 કરોડ રૂપિયાનો કરાર

શુક્રવારે બંને ભાઇઓ વચ્ચે થયેલા આ કરાર અંતર્ગત મુકેશ અંબાણીની કંપની 4જી સર્વિસ ઉપલબ્ધ કરવાવવા અનિલ અંબાણીની રિલાયન્સ કમ્યુનિકેશન્સના ટાવરોનો ઉપયોગ કરશે.
બંને કંપનીયોની વચ્ચે થયેલ ડીલને લઇને રિલાયન્સ કમ્યુનિકેશન્સે એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદન અનુસાર ડીલ અંતર્ગત મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ દેશભરમાં ફેલાયેલ રિલાયન્સ કમ્યુનિકેશન્સના 45000 ટાવરોનો ઉપયોગ કરશે. આમાં રિલાયન્સ કમ્યુનિકેશન્સના છત પર લગાવેલ ટાવરનો પણ સમાવેશ થાય છે.
આ પહેલા મુકેશ અંબાણીની રિલાયન્સ જિયો ઇન્ફોકોમે અનિલની રિલાયન્સ કમ્યુનિકેશન્સની સાથે 1,20,000 કિલોમીટરના ઓપ્ટિક ફાઇબર નેટવર્કના ઉપયોગને લઇને સમજૂતિ કરી હતી.












Click it and Unblock the Notifications
