Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કોમોડિટી બોર્ડના માળખાની પુન:રચના થશે : સિંધિયા

jyotiraditya scindia
બેંગલોર, 28 સપ્ટેમ્બર : આજે બેંગલોરમાં કેન્દ્રીય વ્યાપાર અને વાણિજ્ય રાજ્ય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે 'સરકાર કોમોડિટી બોર્ડના માળખા અને કામગીરીની પુન: રચના કરશે. આ સાથે પીએસએફ (પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ) સ્કીમ પણ તૈયાર કરશે.'

કર્ણાયક પ્લાન્ટર્સ એસોસિએશનની 54મી વાર્ષિક સભામાં બોલતા સિંધિયાએ જણાવ્યું કે 'કોમર્સ અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી દ્વારા કરવામાં આવેલા ચા અને કોફી તથા રબ્બર અને મસાલા સેક્ટર માટેના બે સર્વેક્ષણનો અભ્યાસ કર્યા બાદ કોમોડિટી બોર્ડના માળખા અને કામગીરીનું પુન: બંધારણ કરવાનો નિર્ણય લીધો છે. '

નવા માળખામાં રિપ્લાન્ટેશન, શ્રમિકોની તંગી, સંશોધનને પ્રાથમિકતા જેવા વિવિધ મુદ્દાઓને સાંકળી લેવામાં આવશે. આ ઉપરાંત વિવિધ બોર્ડમાં ટેકનોલોજી અને પ્રમોશનને કેવી રીતે વધારે પ્રોત્સાહન આપવામાં આવે તે અંગે પણ વિચારણા કરવામાં આવશે. આ બાબતે સુધારણાના સૂચનો 12મી પંચવર્ષીય યોજના (વર્ષ 2012થી 2017) સુધીમાં આવરી લેવામાં આવશે.

જ્યારે પીએસએફ સ્કીમ માટે પ્રણવ સેન કમિટી અને અન્ય નિષ્ણાતોના સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. સંશોધન ક્ષેત્રે હાઇ યેલ્ડિંગ જાતોને વધારે પ્રાધાન્ય આપવાની વાત પણ સિંધિયાએ જણાવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X