કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ વયમર્યાદા ઘટી શકે
નવી દિલ્હી, 27 નવેમ્બર : કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉમર ઘટાડી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે સેલેરી અને પેન્શન પર સતત વધતા ખર્ચથી ચિંચિત સરકાર એમના કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉમર 60થી ઘટાડીને 58 કરી શકે છે. આ રીતે તેઓ ખર્ચ ઘટાડવાનો માર્ગ અપનાવી શકે છે.

નાણાં મંત્રાલયના તરફથી કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉમર ઘટાડવાના નિર્ણયની સમીક્ષા કરવામાં આવી રહી છે. 7મા વેતન આયોગની ભલામણ બાદ કેન્દ્ર સરકારનું સેલેરી પર ખર્ચ 33% વધી શકે છે. 7માં વેતન આયોગની ભલામણ 2016થી લાગૂ થવાની આશા છે.
દેશભરમાં કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારી છે. 1998માં એનડીએ સરકારે રિટાયરમેન્ટની ઉમર 2 વર્ષ વધારી દીધી છે. જે કેન્દ્ર સરકારની સેલેરી અને પેન્શન પરર સરકારી ખર્ચ સતત વધી રહ્યા છે. સરકારી કર્મચારીઓની સેલેરી દર 10 વર્ષમાં બેગણી થતી રહી છે.












Click it and Unblock the Notifications
