જો તમે પણ છો SBIના ગ્રાહક, તો 1મેથી થશે આ ફાયદો
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. બેન્કે હોમ અને ઓટોમોબાઈલ લોન પર લાગતા વ્યાજની રીત બદલી છે.
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની સુવિધા માટે મહત્વનો નિર્ણય કર્યો છે. બેન્કે હોમ અને ઓટોમોબાઈલ લોન પર લાગતા વ્યાજની રીત બદલી છે. તમને જાણીને ખુશી થશે કે દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કરોડો ગ્રાહકોને ગિફ્ટ આપી છે. SBIએ બચત ખાતા અને ટૂંકા ગાળાની લોનના વ્યાજ દરને રેપો રેટ સાથે લિંક કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: 1 એપ્રિલથી બદલાઈ જશે ઘર, ઓટો અને પર્સનલ લોન સાથે સંકળાયેલ આ નિયમ
SBIના આ નિર્ણયનું લક્ષ્ય રિઝર્વ બેન્કે નક્કી કરેલા રેપો રેટનો ગ્રાહકોને તરત જ લાભ આપવાનું છે. આવો નિર્ણય લેનારી SBI દેશની પહેલી બેન્ક છે.

બચત ખાતા પર મળશે વધુ વ્યાજ
ઉલ્લેખનીય છે કે SBI તરફથી બહાર પડાયેલા નિવેદનમાં આ નવો નિર્ણય 1 મે, 2019થી લાગુ કરવાની જાહેરાત છે. SBIના બચત ખાતા પર વાર્ષિક 3.50 ટકા વ્યાજ મળે છે. જ્યારે રિઝર્વ બેન્કે રેપો રેટ 6.25 ટકા નક્કી કર્યો છે. SBIનો આ નિર્ણય લાગુ થયા બાદ બચત ખાતા પરના વ્યાજમાં 2.75 ટકાના વધારા સાથે 6.25 ટકા થઈ જશે. જો કે આ લાભ તે જ ગ્રાહકોને મળશે જેમના ખાતામાં ઓછામાં ઓછા 1 લાખની રકમ છે. આ ઉપરાંત નવો નિર્ણય લાગુ થયા બાદ ટૂંકા ગાળાની લોનના વ્યાજ દર પણ ઘટવાની શક્યતા છે.

ગ્રાહકોને મળશે લાભ
રિઝર્વ બેન્ક સમયાંતરે રેપો રેટ બદલે છે. રેપો રેટમાં ઘટાડાથી બેન્કોને ફાયદો થાય છે અને વધારાથી નુક્સાન થાય છે. પરંતુ કેટલીકવાર રેપોરેટમાં ઘટાડાનો ફાયદો ગ્રાહકો સુધી નથી પહોંચતો એટલે ગ્રાહકોને નુક્સાન થાય છે. આ ઘટના નિવારવા SBIએ પોતાના બચત ખાતાને અને ટૂંકા ગાળાની લોનને રેપો રેટ સાથે લિંક કરવાો નિર્ણય લીધો છે. આમ કરવાથી ગ્રાહકોને સારો એવો ફાયદો થવાની આશા છે.

તાજેતરમાં જ રિઝર્વ બેન્કે ઘટાડ્યો હતો રેપો રેટ
રિઝર્વ બેન્કે ગત મહિને જ થયેલી સમીક્ષા બેઠક બાદ રેપો રેટમાં 25 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો રિઝર્વે બેન્કના આ નિર્ણય બાદ બેન્કો પર લોન પર લાગુ વ્યાજ દર ઘટાડવાનું દબાણ છે. કેટલીક બેન્ક વ્યાજદરમાં 5થી 10 ટકાનો ઘટાડો કરી ચૂક્યા છે. તો કેટલીક બેન્ક 31 માર્ચ સુધી વ્યાજદર ઘટાડી શકે છે.

રેપો રેટ શું છે.
જે રેટ પર રિઝર્વ બેન્ક કમર્શિયલ બેન્ક અને બીજી બેન્કોને લોન આપે છે, તેને રેપો રેટ કહે છે. રેપો રેટ ઘટવાનો અર્થ છે કે બેન્ક તરફથી મળતી લોન સસ્તી થશે. રેપોરેટ ઘટે તો હોમ લોન, વ્હિકલ લોન પણ સસ્તા થાય છે.

રિવર્સ રેપોરેટ શું છે
જે રેટ પર બેન્કોને રિઝર્વ બેન્કમાં જમા રકમ પર વ્યાજ મળે છે તેને રિવર્સ રેપો રેટ કહે છે. આ રેટનો ઉપયોગ માર્કેટમાં રોકડ નિયંત્રિત કરવામાં થાય છે. જો માર્કેટમાં રોકડ વધી જાય તો રિઝર્વ બેન્ક રિવર્સ રેપો રેટ વધારી દે છે.
30 લાખ સુધીની હોમ લોન 8.75 ટકા વ્યાજ દર તો બીજી તરફ SBI મહિલાઓે ઘરી ખરીદવાની ઉત્તમ તક આપી રહી છે. SBIમાં 30 લાખ સુધીની હોમ લોન પર 8.75 ટકા જ વ્યાજ લાગશે. જો હોમ લોન 30 લાખથી 75 લાખની વચ્ચે હશે તો સેલરાઈઝ્ડ લોકોને 8.95 ટકા અને 9.05 ટકાનું વ્યાજ લાગશે. તો મહિલાઓ માટે આ રેટ 8.90 ટકા અને 9 ટકા છે.

હોમ લોન લેવાની યોગ્યતા
SBIની હોમ લોન લેવા માટે ગ્રાહક ભારતનો નાગરિક હોવો જરૂરી છે. સાથે જ ઉંમર 18થી 70 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
