Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SBI એકાઉન્ટ ધારક ધ્યાન આપો! સેવિંગ એકાઉન્ટના નિયમો 1 મેના રોજ બદલાઈ જશે

જો તમારું પણ બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. 1 મે થી, એસબીઆઈના સેવિંગ એકાઉન્ટનો નિયમ બદલાશે.

જો તમારું પણ બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ વિશેષ છે. 1 મે થી, એસબીઆઈના સેવિંગ એકાઉન્ટનો નિયમ બદલાશે. આ નિયમ બદલાવથી, તમારી જમાપૂંજી પર અસર થશે. 1 મે થી એસબીઆઈ સેવિંગ એકાઉન્ટ પર મળતા વ્યાજ દરમાં ફેરફાર કરશે. SBI એ તેની ડિપોઝિટ અને લોનના વ્યાજદરો ભારતીય રિઝર્વ બેન્ક (RBI) ના બેંચમાર્ક દર સાથે જોડી દીધા છે. ચાલો જાણીએ કે આ નિયમની અસર કેવી રીતે થશે...

આ પણ વાંચો: SBI એકાઉન્ટ ધારક સાવધાન! ATM કાર્ડથી ચોરાઈ રહી છે તમારા એકાઉન્ટની માહિતી

SBI નિયમો બદલાશે

SBI નિયમો બદલાશે

એસબીઆઈએ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દરના નિયમોમાં ફેરફાર કર્યા છે. બેંકે સેવિંગ એકાઉન્ટ અને લોનના વ્યાજ દરો આરબીઆઇના બેન્ચમાર્ક દર સાથે જોડ્યા છે. આ પછી 1 લાખ રૂપિયાથી વધુની ડિપોઝિટ અને લોનના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડવામાં આવ્યા છે. આ પછી આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર થવા પર, બેન્ક તરત જ તેના વ્યાજના દરોમાં બદલાવ કરશે. જો આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરશે તો, બેંક પણ લોનના વ્યાજ દર ઘટાડશે અને તમારા હોમ લોન ઓટો લોનની EMI ઓછી થઇ જશે.

1 મે થી શું અસર થશે

1 મે થી શું અસર થશે

નવા નિયમો અમલમાં મૂક્યા પછી SBI 1 લાખ રૂપીયા સુધી 3.5 ટકાનો દર આપી રહી છે. તો 1 લી મે થી 1 લાખથી ઉપરના બેલેન્સ પર વ્યાજ દર 3.25 ટકા હશે. આ માત્ર આટલું જ નહીં, આ પછીથી એસબીઆઇએ 1 લાખથી વધુના તમામ રોકડ ક્રેડિટ્સ અને ઓવરડ્રાફટ એકાઉન્ટ્સને રેપો રેટ સાથે જોડ્યા છે. આ હેઠળ, થોડા દિવસ પહેલા બેંકે વ્યાજના દરોમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. બેંક 1 લાખ રૂપિયા કરતાં ઓછી લોન અને ડિપોઝિટ MCLR સાથે સંકળાયેલા રહેશે, જે નાના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નિશ્ચિત કરવામાં આવી છે. 1 મે થી SBI એક લાખથી વધુની જમા પર અને શોર્ટ ટર્મ લોનને RBI ના બેન્ચમાર્ક રેપો રેટ સાથે જોડશે. બેંકે બચત, નાની લોન અને ડિપોઝિટ રેટને રેપો રેટ સાથે સીધા જ જોડ્યા છે.

ATM કાર્ડ વિના પૈસા ઉપાડી શકશો

ATM કાર્ડ વિના પૈસા ઉપાડી શકશો

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ ગ્રાહકો માટે નવી સેવા શરૂ કરી દીધી છે. એસબીઆઇ ગ્રાહકો એટીએમ કાર્ડ વિના SBI ના યોનો એપની મદદથી પૈસા ઉપાડી શકે છે. આ એપની મદદથી તમે 30 મિનિટની અંદર કોઈ એટીએમ કાર્ડ વિના એસબીઆઇ એટીએમમાંથી રોકડ ઉપાડી શકશો. તમારે એપની મદદથી પૈસા માટે રિકવેસ્ટ કરવી પડશે, પછી તમને એક PIN મળશે. તમારે 30 મિનિટની અંદર આ PIN નો ઉપયોગ કરવો પડશે, જેના પછી તમે કોઈપણ એટીએમમાંથી પૈસા ઉપાડી શકો છો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X