સુપ્રીમ કોર્ટથી અનિલ અંબાણીને રાહત, SBIની અરજી ફગાવી
સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત આપી છે.
નવી દિલ્લીઃ સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. સાથે જ કોર્ટે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની એ અરજી પણ ફગાવી દીધી છે જેમાં અનિલ અંબાણી સામે દેવાળિયાપણા સંહિતા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્લી હાઈકોર્ટને એ પણ નિર્દેશ આપ્યા છે કે તે 6 ઓક્ટોબરે આ કેસમાં સુનાવણી કરે.
આ પહેલા 21 ઓગસ્ટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ બિઝનેસમેન અનિલ અંબાણી સામે દેવાળિયાપણાનો કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. આ આદેશ એસબીઆઈથી લીધેલા 1200 કરોડ રૂપિયાની લોન કેસમાં આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર કૉમ) અને રિલાયન્સ ઈન્ફ્રાટેલને એસબીઆઈએ 2016માં દેવાળિયા કેસની મંજૂરી માટે એસબીઆઈએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો દરવાજો ખખડાવ્યો હતો.
ભારતમાં ક્યારે ઉપલબ્ધ થશે કોરોના વેક્સીન, આરોગ્ય મંત્રીએ રાજ્યસભામાં આપી માહિતી