આરબીઆઇના નવા ગવર્નર માટે શોધ શરૂ : ચિદમ્બરમ

પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમે જણાવ્યું કે આ કારણે જ મેં તેમની વાતનો સ્વીકાર કર્યો છે. વાત અહીં પૂરી થઇ જાય છે. હવે અમે નવા ગવર્નરની પસંદગીની પ્રક્રિયા આરંભી છે. આઇએએસ તથા નાણા મંત્રાલયના જુના અધિકારી સુબ્બારાવને સપ્ટેમ્બર 2008માં ત્રણ વર્ષ માટે આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે ઓગસ્ટ 2011માં તેમની સેવા 2 વર્ષ માટે વિસ્તારી આપી હતી.
એવું માનવામાં આવે છે કે બુધવારે આરબીઆઇએ જાહેર કરેલી આર્થિક નીતિ સુબ્બારાવે ગવર્નર તરીકે જાહેર કરેલી અંતિમ મોટી ઘોષણા છે. ગવર્નર તરીકે તેમનો કાર્યકાળ 4 સપ્ટેમ્બર, 2013ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. નવી મધ્ય ત્રિમાસિક નીતિ સમીક્ષા 18 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.












Click it and Unblock the Notifications
