For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આગામી 13 દિવસમાં 6 દિવસ બેંકો બંધ રહેશે, દિવાળી પહેલા કરી લો વ્યવસ્થા

ઓક્ટોબરના અંતમાં 13 દિવસ બાકી છે. ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં પ્રકાશનો તહેવાર દિવાળી પણ આવી રહી છે.

|
Google Oneindia Gujarati News

ઓક્ટોબરના અંતમાં 13 દિવસ બાકી છે. ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં પ્રકાશનો તહેવાર દિવાળી પણ આવી રહી છે. દિવાળી, ગોવર્ધન પૂજા સહીત શનિવાર-રવિવારના કારણે બેંકોમાં પણ રજા રહેશે. આ બધાની વચ્ચે, 22 ઓક્ટોબરે બેંકોની દેશવ્યાપી હડતાલની ઘોષણા કરવામાં આવી છે. જો તમારી પાસે તમારી બેંક સાથે સંબંધિત કોઈ કામ છે, તો છેલ્લા અઠવાડિયાની રાહ જોશો નહીં. ખરેખર, ઓક્ટોબરના બાકીના 13 દિવસોમાંથી 6 દિવસ બેંકો બંધ રહેશે.

બેંકો 6 દિવસ સુધી બંધ રહેશે

બેંકો 6 દિવસ સુધી બંધ રહેશે

ઓક્ટોબરના બાકીના દિવસોમાં, બેંકના કાર્યને 6 દિવસ અસર થશે. દેશના જુદા જુદા ભાગોમાં બેંકો બંધ રહેશે. 31 ઓક્ટોબર પહેલાં, મોટાભાગની બેંકો દેશના જુદા જુદા ભાગોમાં બંધ રહેશે. જેની શરૂઆત 22 ઓક્ટોબરથી થશે. ખરેખર 22 ઓક્ટોબરએ બેંકોની હડતાલ છે. 22 ઓક્ટોબરના રોજ, ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન અને ભારતીય બેંક કર્મચારી સંઘે 10 બેંકોના મર્જર વિરુદ્ધ દેશવ્યાપી હડતાલ બોલાવી છે. આ હડતાલને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસએ પણ સમર્થન આપ્યું છે. જો બેંકની આ હડતાલ રદ નહીં કરવામાં આવે તો 22 ઓક્ટોબરે બેંકો કાર્યરત નહીં થશે.

બેંકોની હડતાલનું કારણ

બેંકોની હડતાલનું કારણ

હકીકતમાં, મોદી સરકારે બેંકોના વધતા એનપીએને ધ્યાનમાં રાખીને બેંકોના મર્જરને મંજૂરી આપી હતી. સરકારે તાજેતરમાં જ 10 મોટી બેંકોને 4 મોટી બેંકો બનાવવા માટે મર્જ કરવાની જાહેરાત કરી હતી. આ મર્જર પછી અલ્હાબાદ બેંક, કોર્પોરેશન બેંક, સિન્ડિકેટ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ ઇન્ડિયા અને યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયાનું અસ્તિત્વ બંધ થઈ જશે. આવી સ્થિતિમાં બેંક કર્મચારી અને કર્મચારી યુનિયન તેનો વિરોધ કરી રહ્યા છે. આ નારાજગી વ્યક્ત કરવા માટે, 22 ઓક્ટોબરે બેંકોની રજા બોલાવવામાં આવી છે.

દિવાળી પહેલા કામ પતાવી લો

દિવાળી પહેલા કામ પતાવી લો

બેન્ક કર્મચારી સંઘોએ બેંકોને મર્જ કરવા દેશવ્યાપી હડતાલની હાકલ કરી છે. દિવાળી (27 ઓક્ટોબર) પહેલાં બેંકો બંધ રહેશે. 26 ઓક્ટોબરે શનિવાર છે તે દિવસે પણ બેન્ક બંધ રહેશે.જ્યારે દિવાળી રવિવારે છે, જેના કારણે બેંકોમાં 27 ઓક્ટોબરે પણ રજા રહેશે. દિવાળી પછી, 28 ઓક્ટોબરે ગોવર્ધન પૂજાને કારણે દેશના વિવિધ ભાગોમાં બેંકો બંધ રહેશે. આ પછી, 29 ઓક્ટોબરે ભાઈબીજ છે, જેના કારણે બેંકોમાં રજા રહેશે.

આ પણ વાંચો: Must Read: 1 નવેમ્બરથી બેંકોના ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાશે

English summary
The banks will be closed for 6 days in the next 13 days
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X