બજેટ 2020માં મોદી સરકાર વીમા કંપનીઓને આપી શકે છે આ ભેટ
માનવામાં આવી રહ્યુ છે કે નાણામંત્રી આ બજેટમાં સાર્વજનિક ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓને લાભ આપી શકે છે.
મોદી સરકાર 1 ફેબ્રુઆરીએ પોતાનુ સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટથી લોકોને ઘણી આશા છે. માનવામાં આવી રહ્યુ છે કે નાણામંત્રી આ બજેટમાં સાર્વજનિક ક્ષેત્રની સામાન્ય વીમા કંપનીઓને લાભ આપી શકે છે. આ વીમા કંપનીઓ માટે સરકાર બીજા તબક્કાની મૂડી રોકવાની જાહેરાત કરી શકે છે.

વીમા કંપનીઓના આર્થિક આરોગ્યને સુધારવા માટે સરકાર બજેટમાં આવુ એલાન કરી શકે છે. નાણામંત્રીએ ગયા મહિને પહેલા અનુદાન માટે પૂરક માંગમાં ત્રણ વીમા કંપનીઓ માટે 2500 કરોડની જાહેરાત કરી. આમાં નેશનલ ઈન્શ્યોરન્સ, ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ શામેલ છે પરંતુ આ વીમા કંપનીઓને સોલ્વન્સી માર્જિન માટે 10,000થી 12,000 કરોડ રૂપિયાના વધુ ફંડની જરૂર પડશે, આશા રાખવામાં આવી રહી છે કે આ બજેટમાં આ જાહેરાત નાણામંત્રી કરી શકે છે.
કંપનીઓને આ રાહત બાદ તેમના વિલયનો રસ્તો પણ ખુલી શકશે. આની ખરાબ નાણાકીય સ્થિતિના કારણે આનુ વિલય નથી થઈ શકતુ પરંતુ હવે આશા જાગી છે. સૂત્રો વીમા કંપનીઓના વિલય બાદ અસ્તિત્વમાં આવનારી સંયુક્ત એકમને ફરીથી શેર બજારમાં સૂચિબદ્ધ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે વિલય બાદ કંપનીનુ મૂલ્ય 1.2થી 1.5 લાખ કરોડ રૂપિયાનુ હશે.












Click it and Unblock the Notifications
