દેશનો વિકાસ દર 7.2 ટકા રહેશે, RBI ગવર્નરે મોંઘવારી અને તેલની કિંમતો અંગે ચેતવણી આપી
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે.
નવી દિલ્હી, 08 જૂન : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ફુગાવાને અંકુશમાં લેવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે, ત્યારબાદ રેપો રેટ 4.90 ટકા થઈ ગયો છે. આ સાથે શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, આવનારા સમયમાં દેશનો વિકાસ દર વધુ સારો રહેશે.
નાણાકીય વર્ષ 2022-23માં દેશનો વિકાસ દર 7.2 ટકા રહેશે
શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2022-23માં દેશનો વિકાસ દર 7.2 ટકા રહેશે. જીડીપી દર પહેલા ક્વાર્ટરમાં 16.2 ટકા, બીજામાં 6.2 ટકા, ત્રીજામાં 4.1 ટકા અને ચોથામાં 4 ટકા રહેશે. જોકે, તેમણે તેલની વધતી કિંમતો અંગે ચેતવણી આપી છે. શક્તિકાંત દાસે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે તેલની કિંમતોને લઈને ચેતવણી આપી છે.
ચોમાસું સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી
RBI ગવર્નરે જણાવ્યું હતું કે, ચોમાસુ સામાન્ય થવાને કારણે આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ વપરાશમાં વધારો થશે. ભારતીય હવામાન વિભાગે આ વખતે ચોમાસું સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ વર્ષે, ભારતીય બજારમાં સામાન્ય ચોમાસું અને ક્રૂડ ઓઈલના ભાવ સરેરાશ 105 ડોલર પ્રતિ બેરલ હોય શકે છે, ફુગાવો 6.7 ટકા હોય શકે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ મોંઘવારી વધારી શકે છે
ઉત્પાદનોના ભાવમાં વધારો, વીજળીના ભાવમાં સુધારો, પશુ આહારના ભાવમાં વધારો, સપ્લાય ચેઇનમાં સમસ્યાઓ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ મોંઘવારી વધારી શકે છે. યુરોપમાં ચાલી રહેલું યુદ્ધ લાંબુ છે, જેના કારણે દરરોજ નવા પડકારો સામે આવી રહ્યા છે.
શક્તિકાંત દાસે ભારતના GDP પર NSOના ડેટાનો ઉલ્લેખ કર્યો
નોંધનીય છે કે, ગત વખતે RBI ગવર્નરે કહ્યું હતું કે, દેશનો જીડીપી 7.8 ટકા રહેશે, જે ઘટાડીને 7.2 ટકા કરવામાં આવ્યો છે. શક્તિકાંત દાસે ભારતના જીડીપી પર એનએસઓના ડેટાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ તબક્કે દેશની જીડીપી પ્રિ કોરોના સમયગાળા કરતા વધી ગઈ છે.
રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે આજે રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત કરી છે, જેના પછી લોકોની લોનની EMI વધી શકે છે. RBIની જાહેરાત પહેલા જ એચડીએફસી બેંક, કેનેરા બેંક, કરુર વૈશ્ય બેંકે વ્યાજદરમાં વધારો કર્યો છે.