Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કેન્દ્રિય બજેટ 2019: નોકરિયાત લોકોને મળી શકે છે મોટી ભેટ, ઇનકમ ટેક્સ ક્ષેત્રે થઇ શકે છે મોટો ફેરફાર

લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર તેનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના અંતિમ બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કરશે.

લોકસભા ચૂંટણી પહેલાં મોદી સરકાર તેનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા મોદી સરકારના અંતિમ બજેટમાં દરેક વર્ગને ખુશ કરવાનો પ્રયત્ન કરશે. આશા કરવામાં આવે છે કે અંતિમ બજેટમાં સરકાર નોકરિયાત લોકોને મોટી રાહત આપી શકે. સીએનબીસી ટીવી18 ની રિપોર્ટ અનુસાર સરકાર 2.5 થી 5 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા લોકોને ઇનકમ ટેક્સના દાયરાથી બહાર મૂકી શકે છે.

Union Budget 2019

એવું માનવામાં આવે છે કે સરકાર ટેક્સના ક્ષેત્રમાં ફેરફાર કરી શકે છે. કેન્દ્ર સરકાર 5 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને ઇનકમ ટેક્સના દાયરા માંથી બહાર રાખવા માટે વિચારણા કરી રહી છે. એવી આશા કરવામાં આવે છે કે 1 ફેબ્રુઆરીએ મોદી સરકાર તેની જાહેરાત કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ ક્ષણે આ છૂટ 2.5 લાખ રૂપિયા સુધીની છે. આ પછી 2.5 થી 5 લાખ રૂપિયાની આવક પર 5 ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે. 5 લાખ રૂપિયા થી 10 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને તેનાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગે છે.

આ પણ વાંચો: બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા સુધી વધારવાની માંગ

એવું માનવામાં આવે છે કે સરકાર 80c હેઠળ મળતી છૂટછાટની સીમા પણ 3 લાખ રૂપિયા કરી શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) એ પણ આની ભલામણ કરી છે. આ ભલામણ પાછળ દલીલ કરવામાં આવી છે કે આનાથી લોકોમાં બચતની પ્રવૃત્તિમાં વધારો થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X