Union Budget 2022 : બજેટમાં મળી શકે છે સારા સમાચાર, સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં 35 ટકાના વધારાની શક્યતા
નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટની રજૂઆતમાં ઘણો ઓછો સમય બાકી છે. આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બજેટમાં ટેક્સ કે અન્ય બાબતોને લઈને શું જાહેરાત કરવામાં આવી શકે છે.
Union Budget 2022 : નાણાકીય વર્ષ 2022-23 માટે બજેટની રજૂઆતમાં ઘણો ઓછો સમય બાકી છે. આ દરમિયાન એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, બજેટમાં ટેક્સ કે અન્ય બાબતોને લઈને શું જાહેરાત કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર સરકાર આગામી બજેટમાં પગાર મેળવનારાઓ અને પેન્શનર્સ માટે ઉપલબ્ધ પ્રમાણભૂત કપાતની મર્યાદામાં 30-35 ટકા વધારો કરવા વિચારી રહી છે. આવા કરદાતાઓ માટે આ મોટી રાહત બની શકે છે. જો કે, હાલના ઈન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી.
હવે પ્રમાણભૂત કપાત મર્યાદા કેટલી છે?
હાલમાં કરદાતાઓની આ સીરીઝ માટે 50,000 રૂપિયાની પ્રમાણભૂત કપાતની મંજૂરી છે, પરંતુ ઉદ્યોગ સંસ્થાઓએ તેમાં વધારો કરવાનું સૂચન કર્યું છે.
ઈકોનોમિકટાઈમ્સના એક અહેવાલમાં એક અધિકારીને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, વ્યક્તિગત કરવેરા અંગે અનેક સૂચનો સામે આવ્યા છે. આ વર્ષે સામાન્ય માગ પ્રમાણભૂતકપાત મર્યાદા વધારવાની હતી.
આ માગ ખાસ કરીને કોવિડ 19ને કારણે મેડિકલ ખર્ચના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી.
તેના આધારે નિર્ણય લેવામાં આવશે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટેક્સ કલેક્શનની સ્થિતિના આધારે આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી આપવામાં આવશે. નવી કર પ્રણાલી પસંદ કરતા કરદાતાઓ માટે કોઈપ્રમાણભૂત કપાત ઉપલબ્ધ નથી.
40,000 રૂપિયાનું પ્રમાણભૂત કપાત 2018માં તત્કાલિન નાણામંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું અને બાદમાં2019માં વચગાળાના બજેટમાં પીયૂષ ગોયલ દ્વારા તેને વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યું હતું.
રાહત આપવા માટેની માગ
નોકરિયાત વર્ગના કોવિડ 19 રોગચાળાની વચ્ચે વીજળી અને ટેલિકોમ જેવા ઘરગથ્થુ ખર્ચમાં વધારો થવાને કારણે આ કરદાતાઓને થોડી રાહત આપવાની માગકરવામાં આવી છે.
કોવિડની વચ્ચે ઘરેથી કામને ધ્યાનમાં રાખીને ઘણા દેશોમાં કર મુક્તિ રજૂ કરવામાં આવી છે, જેમાં ઓફિસ સેટઅપ પરનો ખર્ચ અને રોગચાળાનેલગતા તબીબી લાભોનો સમાવેશ થાય છે.