યુપીના મુખ્યમંત્રી પણ કરવા માંગે છે ધર્મ પરિવર્તન
કાનપુર, 12 ડિસેમ્બર : આગ્રામાં 200 લોકોના જબરદસ્તી ધર્મપરિવર્તન સામે એક તરફ સંસદમાં ધર્માંતરણ મુદ્દે મોટી ધમાલ મચી છે તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવ આ મુદ્દે મજાક કરી રહ્યા છે. તેમણે આ મુદ્દે કટાક્ષ કરતા જણાવ્યું કે ભાજપ અમારું પણ ધર્મપરિવર્તન કરાવી દે, પણ તેઓ એ તો જણાવી દે કે અમને શું બનાવશે?
અખિલેશ યાદવે શુક્રવારે કાનપુરમાં અનેક યોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે જણાવ્યું કે સમાજવાદી પાર્ટી માત્ર વિકાસ પર ધ્યાન આપે છે. તેમણે જણાવ્યું કે અમારી પાર્ટી ધર્મ, જાતિ કે સંપ્રદાયના મુદ્દાઓને છોડીને બાકીના અન્ય તમામ કાર્યો કરે છે.

તેમણે આ સાથે એવો દાવો પણ કર્યો કે સપાએ ઉત્તરપ્રદેશમાં વિકાસના સૌથી વધારે કાર્યો કર્યા છે. તેને જોતા ઇર્ષાવશ થઇને અનેક પ્રાટીઓ હવે ઉત્તર પ્રદેશનો માહોલ ખરાબ કરવામાં લાગી ગઇ છે.
તેમણે જણાવ્યું કે 'સમાજવાદી લોકો ભેદભાવ કરતા નથી. અમે તો તમામ વર્ગને યોજનાઓનો લાભ આપવામાં વિશ્વાસ ધરાવીએ છીએ. અમે કોઇની સાથે ભેદભાવ નથી કરતા. તેમણે જણાવ્યું કે ઉત્તર પ્રદેશની સરકાર વાસ્તવિકતામાં વિશ્વાસ ધરાવે છે. લોકો અમને બદનામ કરવામાં લાગી ગયા છે. પરંતુ અમે પ્રદેશને પ્રગતિના પથ પર આગળ લાવવામાં લાગેલા છીએ.'
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
