શું છે ઈસ્લામિક હલાલ ઇન્વેસ્ટમેન્ટ? જાણો કેમ તેમાં કરોડો રૂપિયાનું રોકાણ થઈ રહ્યું છે?
હાલમાં જ ગ્લોબલ ઈસ્લામિક હલાલ ઈકોનોમીને લઈને એક મહત્વનો રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ઘણા ચૌકાવનારા દાવા કરાયા છે.
આ રિપોર્ટના એક આંકડાએ લોકોનું ધ્યાન ખેંચ્યુ છે. ગ્લોબલ ઈસ્લામિક હલાલ ઈકોનોમીના અહેવાલ અનુસાર, વર્ષ 2025 સુધીમાં તેનું બજાર મૂલ્ય વધીને 7.7 ટ્રિલિયન ડોલરથી વધુ થઈ જશે.

2015 માં ઇસ્લામિક હલાલ અર્થતંત્ર 3.2 ટ્રિલિયન ડોલરનું હતું, જેનો અર્થ છે કે તે 10 વર્ષમાં બમણું થશે, જ્યારે વર્ષ 2021 માં તેનું બજાર મૂલ્ય 5.7 ટ્રિલિયન ડોલર હોવાનો અંદાજ હતો.
જનરલ કાઉન્સિલ ફોર ઇસ્લામિક બેંક્સ એન્ડ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા ગયા વર્ષે એક અહેવાલમાં જણાવાયું છે કે, વૈશ્વિક ઇસ્લામિક ફંડ માર્કેટ છેલ્લા એક દાયકામાં 300 ટકાથી વધુ વધ્યુ છે. જેમાં લગભગ 200 બિલિયન ડોલર હવે વૈશ્વિક સ્તરે સંચાલન હેઠળ છે.
આંકડા દર્શાવે છે કે હલાલ એટલે કે શરિયા કાયદા હેઠળ રોકાણ ઝડપથી વધી રહ્યું છે અને તેની માંગ પણ ઝડપથી વધી રહી છે.
જણાવી દઈએ કે ઇસ્લામ હેઠળ રોકાણની પરવાનગી છે, પરંતુ રોકાણ માટે કેટલાક નિયમો છે.
- આમાં વ્યાજ વસૂલવું હરામ માનવામાં આવે છે. તેથી મુસ્લિમ સમુદાયે શરિયા કાયદા હેઠળ ચાલતી ઇસ્લામિક બેંકો તરફ મજબૂત વલણ દર્શાવ્યું છે.
- આ વ્યવસ્થા હેઠળ ઇસ્લામિક બેંકો "હરામ (ગેરકાયદેસર) અસ્કયામતો અથવા કોમોડિટીઝ જેમ કે ડુક્કરના ઉત્પાદનો, આલ્કોહોલ અથવા લશ્કરી સાધનો વગેરેમાં તેમનું રોકાણ કરી શકતી નથી.
- આમાં એવા વ્યવહારો થઈ શકતા નથી જેમાં પારદર્શિતા ન હોય. આ સિવાય બેંકો એવા ક્ષેત્રોમાં રોકાણ કરી શકતી નથી કે જેમાં ઘણી બધી બિઝનેસ અનિશ્ચિતતા હોય.
- ઇસ્લામિક ફાઇનાન્સ કાઉન્સિલ યુકે (UKIFC) ના ડિરેક્ટર ઓમર શેખ કહે છે કે હલાલ રોકાણ એ મૂળભૂત રીતે તમારા પૈસા અને નાણાંનું તમારા વિશ્વાસ અનુસાર સંચાલન કરે છે.
- તેમણે કહ્યું કે, મુસ્લિમો માને છે કે સમાજ માટે હાનિકારક અને ધર્મની નૈતિકતાની વિરુદ્ધમાં પૈસા કમાવવા કરતાં હલાલ રીતે પૈસા કમાવવા વધુ સારું છે.
- ઇસ્લામિક ફાઇનાન્સ ગ્રૂપ એથિસના સહ-સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર ઓમર મુનશી કહે છે કે શરિયા કાયદાનું પાલન અત્યંત મહત્ત્વનું છે, તેથી નૈતિક રોકાણની શોધમાં સંસ્થાઓ અને રોકાણકારોએ આની ખાતરી કરવા માટે હજુ પણ આગળ વધવાની જરૂર છે.
હલાલ ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કામ કરે છે?
હલાલ ઇન્વેસ્ટમેન્ટ ઇસ્લામિક બિઝનેસ ફાઇનાન્સ હેઠળ કામ કરે છે, નફાની વહેંચણીના બિઝનેસ મોડલ પર આધારિત છે, જેમાં શરિયા વીમો અને સુકુકનો પણ સમાવેશ થાય છે. સુકુક એ એક પ્રકારનું ઇસ્લામિક નાણાકીય પ્રમાણપત્ર છે જે રોકાણમાં રોકાણકારના હિસ્સાનું પ્રતિનિધિત્વ કરે છે.
પરંપરાગત બોન્ડથી વિપરીત ગ્રાહકો ઇસ્લામિક બેંક પાસેથી ખરીદે છે તે બોન્ડ તેમની ખરીદીના આધારે નફો મેળવે છે. સુકુક રોકાણકારો વ્યવસાયની આંશિક માલિકી મેળવે છે અને પછી નફાની ચૂકવણી મેળવે છે, જે સમય જતાં વધે છે. શરિયા અનુપાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાજને બદલે આ ચૂકવણી કરવામાં આવે છે.
છેલ્લા 15 વર્ષમાં ઇસ્લામિક બેંકિંગ ઝડપથી વધી રહી છે અને વધુને વધુ શિક્ષિત લોકો આ બેંકિંગ સાથે જોડાઈ રહ્યા છે. તેથી, હવે આ ફાઇનાન્સ હેઠળ વધુ ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે માંગના ક્ષેત્રો બનાવવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
