કિસાન વિકાસ પત્ર શું છે? તેના આકર્ષક ફીચર્સ જાણો
કિસાન વિકાસ પત્ર (કેવીપી - KVP) એ જોખમ મુક્ત રોકાણ યોજના છે. આ યોજના આજે ફરીથી રજૂ (રિ લોન્ચ) કરવામાં આવી રહી છે. આ યોજના 1 ડિસેમ્બર, 2011માં બંધ કરવામાં આવી હતી. આ યોજના એવા લોકો માટે છે જેઓ ઓછું જોખમી રોકાણ કરવા માંગે છે, સાથે સ્થિર આવક ઇચ્છે છે. આ યોજના અંતર્ગત 100 મહિનામાં જ નાણા બમણા થઇ જાય છે. જ્યારે તેનું વ્યાજ દર વર્ષે ગણવામાં આવે છે...

KVP 2014માં રોકાણ કેવી રીતે રોકાણ કરી શકાય?
આ યોજના ઇન્ડિયા પોસ્ટ ઓફિસ દ્વારા ઓફર કરવામાં આવે છે. આ માટેનું ફોર્મ ભરવા માટે કેશ કે ચેક આપવા સાથે આપનો ફોટોગ્રાફ આપવો જરૂરી છે. પોસ્ટ ઓફિસને આપના ચેકનું પેમેન્ટ મળી જાય ત્યાર પછી આપને સર્ટિફિકેટ આપવામાં આવે છે.

KVP સર્ટિફિકેટમાં શું હોય?
પોસ્ટ ઓફિસ દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે તેને કિસાન વિકાસ પત્ર તરીકે ઓળખવામાં આવે છે. જેમાં આપનું નામ, રકમ, પાકતી મુદતની તારીખ અને પાકતી મુદ્દતે રકમ વગેરે વિગતો ઉમેરવામાં આવે છે.

KVPમાં કોણ રોકાણ કરી શકે?
ભારતના કોઇ પણ નાગરિક કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરી શકે છે. આ રોકાણ તે પોતાના નામે, કે સગીર વયના નામે કરી શકે છે. ભારતમાં નોંધાયેલા ટ્રસ્ટ પણ KVPમાં રોકાણ કરી શકે છે. બે પુખ્ત વયની વ્યક્તિઓ પણ KVP ખરીદી શકે છે.

KVPના ફીચર્સ ભાગ - 1
1. રોકાણ રૂપિયા 1000, 5000, 10000 અને 50000ની રકમનું થઇ શકે છે. રોકાણ માટે ટોચની કોઇ મર્યાદા નથી.
2. KVP 8 વર્ષ અને 7 મહિના બાદ પાકે છે.
3. સર્ટિફિકેટ સિંગલ કે સંયુક્ત નામે ઇશ્યુ થઇ શકે છે. અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિના નામે ટ્રાન્સફર થઇ શકે છે.

KVPના ફીચર્સ ભાગ - 2
4. KVPને ભારતમાં કોઇ પણ એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરી શકાય છે. આ માટે નોમિનેશન મળે છે.
5. કોઇ વ્યક્તિ KVPના આધારે લોન મેળવી શકે છે. જ્યાં સિક્યુરિટીની જરૂર હોય ત્યાં ડિપોઝિટ પણ કરી શકાય છે.
6. લિક્વિડિટી : રોકાણકાર અઢી વર્ષના સમયગાળા બાદ સર્ટિફિકેટ મેળવી શકે છે.

KVPનો કર લાભ
કિસાન વિકાસ પત્રનું વ્યાજ કરપાત્ર હોવાને કારણે તેમાંથી કોઇ કરલાભ મળતો નથી. કેવીપીનો એક માત્ર લાભ એ છે તે તેના પર વેલ્થ ટેક્સ લાગતો નથી. તેને વેલ્થ ટેક્સમાં સંપૂર્ણ છૂટ આપવામાં આવી છે. તેમાં ટીડીએસ કપાતો નથી.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
