જાણો : શા માટે RBIએ 2005 પહેલાની ચલણી નોટો પાછી ખેંચવાનો નિર્ણય લીધો?
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ - RBI)એ તાજેતરમાં વર્ષ 2005 પહેલા બહાર પાડવામાં આવેલી ભારતીય ચલણી નોટોને પાછી ખેંચી લેવાની અંતિમ તારીખ લંબાવી છે. આમ કરવાનું કારણ ચલણી નોટોની સુરક્ષા સંબંધિત છે. કારણ કે વર્ષ 2005 બાદ પ્રકાશિત થયેલી અને બહાર પાડવામાં આવેલી ચલણી નોટોમાં વધારે સુરક્ષા સુવિધા છે.
કોઇ પણ દેશ દ્વારા અમુક વર્ષ પહેલાની ચલણી નોટો બજારમાંથી પાછી ખેંચી લેવી એ આંતરરાષ્ટ્રીય સ્તરે સામાન્ય કામગીરી છે. આરબીઆઇએ પણ દેશની બેંકોની મદદથી આ કામગીરી સામાન્ય રીતે હાથ ધરી છે.

એક ધારણા મુજબ વર્ષ 2005 પહેલાની ચલણી નોટો ધાર્યા જથ્થાના પ્રમાણમાં માર્કેટમાં ચાલી રહી નથી. જેના કારણે સામાન્ય લોકો તેનો વધુ ઉપયોગ કરી શકતા નથી. આ કારણે બેંકો તેને વિડ્રો કરીને માર્કેટમાંથી પાછી કેંચવાનો નિર્ણય લીધો છે. આ માટે મોટા ભાગની બેંકોની શાખાઓ ચલણી નોટોને એક્સચેન્જ કરી આપે છે.
ક્લીન નોટ પોલિસી
રિઝર્વ બેંક નાગરિકોને ચોખ્ખી અને સ્વચ્છ ચલણી નોટો ઉપલબ્ધ બને તેવા પ્રયત્નો સતત ચલાવી રહી છે. જે માટે બેંકે જાહેર જનતાને નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની અપીલ કરી છે.
- બેંક નોટને સ્ટેપલ કરવામાં ના આવે.
- ચલણી નોટ પર કોઇ પ્રકારનું લખાણ લખવામાં ના આવે કે રબર સ્ટેમ્પ કે અન્ય માર્ક કરવામાં ના આવે.
- ચલણી નોટોનો ઉપયોગ રમકડાં, ડેકોરેશનમાં કરવામાં ના આવે.












Click it and Unblock the Notifications
