Nepal protest : નેપાળમાં ફરીથી રાજાશાહીની માંગ કેમ?
Nepal protest : નેપાળમાં ફરી એક વખત રાજશાહી સ્થાપિત કરવાની માંગ ઉઠી રહી છે, જે દેશની રાજકીય સ્થિરતાને પડકાર આપી રહી છે.
28 માર્ચ, 2025ના રોજ રાજધાની કાઠમંડુમાં હિંદુ રાષ્ટ્ર અને રાજશાહી સ્થાપિત કરવાની માંગ સાથે હજારો લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા. આ પ્રદર્શનનું નેતૃત્વ રાષ્ટ્રીય પ્રજાતંત્ર પાર્ટી કરી રહી છે, જેને નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્ર શાહનું સમર્થન પ્રાપ્ત છે.

નેપાળમાં રાજશાહી પુનઃસ્થાપન કરવાની માંગ નવી નથી. 2007માં 240 વર્ષથી ચાલતા રાજતંત્રને સમાપ્ત કરીને નેપાળે લોકશાહી સ્વીકારી અને ધર્મનિરપેક્ષ સંવિધાન અપનાવ્યું. તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી, હિંદુ રાષ્ટ્ર અને રાજશાહી પુનઃસ્થાપન માટેના આંદોલનો ચાલુ રહ્યા છે.
2015માં સંવિધાન લાગુ થયા બાદ પણ આ મુદ્દે અનેક હિંસક પ્રદર્શન થયા છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.
હાલના પ્રદર્શનોએ નેપાળની રાજકીય પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી છે. રાજશાહી સમર્થકોને ત્રણ એપ્રિલ સુધીનો અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. સરકાર આ આંદોલનો પાછળ પૂર્વ રાજા જ્ઞાનન્દ્ર શાહ અને ભારતના હસ્તક્ષેપનો આરોપ લગાવી રહી છે.
ગયા વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પોસ્ટરો સાથેના જુલૂસો જોવા મળ્યા હતા, જેના કારણે નેપાળ સરકાર અને ભારત વચ્ચે તણાવ વધ્યો હતો.
આંદોલનો અને હિંસક પ્રદર્શનોથી સ્પષ્ટ થાય છે કે નેપાળમાં રાજશાહી અને લોકશાહી વચ્ચેનો સંઘર્ષ હજુ સમાપ્ત થયો નથી. દેશના ભવિષ્ય માટે આ નિર્ણાયક સમય છે, અને જોવામાં રહ્યું છે કે સરકાર અને પ્રજા કેવી રીતે આ પડકારનો સામનો કરશે.












Click it and Unblock the Notifications
