Fact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે?
Fact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે?
નવી દિલ્હીઃ ગરમીની મોસમ શરૂ થતા જ જંગલમાં આગનો સિલસિલો શરૂ થઈ ગયો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના જંગલોમાં ભીષણ આગ લાગવાનો દાવો કરવામાં આવ્યો છે. આની સાથે જ કેટલાય ફોટો અને વીડિયો શેર કરવામાં આવ્યા છે. આ વાયરલ તસવીરોમાં આગ એટલી ભયાનક હતી કે સૌકોઈ શખ્સ તે જોઈ દંગ રહી ગયો, પરંતુ જ્યારે આ તસવીરોની તપાસ કરવમાં આવી તો સચ્ચાઈ કંઈક બીજી જ નીકળી.
Recommended Video

ચીનના ફોટોને વાયરલ કર્યા
મામલામાં ઉત્તરાખંડ વન વભાગના મુખ્ય વન સંરક્ષક બીકે ગાંગટેએ વન ઈન્ડિયા સાથે વાત કરતા આ વાયરલ ફોટોને ફેક ગણાવ્યો છે. જે મુજબ ચીન અને ચલીમાં લાગેલી આગની તસવીરો ઉત્તરાખંડની તસવીર જણાવી વાયરલ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મોટાભાગના ફોટા અને વીડિયો ફેક છે. બીકે ગાંગટે મુજબ ચીનના જંગલોમાં માર્ચના અંતમાં આગ લાગી હતી. આ દરમિયાન 18 ફાયર ફાઈટર પણ મૃત્યુ પામ્યા હતા. આગની એ ઘટનાના ફોટા હવે ઉત્તરાખંડના ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે ચીલીના જંગલોમાં આગ લાગી હતી, જેમાં 6 લોકો મૃત્યુ પામ્યા હતા. તે ઘટનાના ફોટાને પણ ઉત્તરાખંડના ફોટા ગણાવી વાયરલ કરવામાં આવી રહ્યા છે.

આગની ઘટનાઓમાં કમી
મુખ્ય વન સંરક્ષક ગાંગટે મુજબ આ વર્ષે ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટના પાછલા વર્ષની સરખામણીએ ઘણી ઓછી છે. હાલ નૈનીતાલ, અલ્મોડા, ટિહરી, મસૂરી અને પિથૌરાગઢના જંગલોમાં આગ લાગી છે, પરંતુ એ એટલી વિકરાળ નથી, જેટલી સોશયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટામાં જોવા મળી રહી છે. તેમના મુજબ વર્ષ 2019માં 1600 હેક્ટર જંગલની ભૂમિમાં આગ લાગી હતી, જ્યારે આ વર્ષે હાલ માત્ર 102 હેક્ટરમાં આગ લાગી છે, જેના પર જલદી જ કાબૂ મેળવી લેવામાં આવશે.

વરસાદે રાહત આપી
જણાવી દઈએ કે આ વિશે માર્ચ અને એપ્રિલ મહિનામાં પણ વરસાદનો સિલસિલો ચાલુ છે. જે કારણે આગ નથી લાગી રહી. જ્યારે જંગલોમાં માનવીય ગતિવિધિઓ જ્યારે વધુ થતી હતી તો લોકો સિગરેટ અને બીડી સરખી રીતે ઓલવ્યા વિના જ ફેંકી દેતા હતા જેના કારણે આગ લાગી જતી હતી. આ વખતે લોકડાઉનને કારણે લોકો ઘરમાં કેદ છે. જે કારણે પણ જંગલોમાં આગ લાગવાની ઘટનામાં કમી આવી છે.
-
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા






Click it and Unblock the Notifications
