શીલાનો ફોર્મૂલા મોદી પર અજમાવી રહ્યાં છે કેજરીવાલ
વારાણસી, 22 એપ્રિલ: આમ આદમી પાર્ટીએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જે ફોર્મૂલા શીલા દીક્ષિતને હરાવવા માટે લગાવી હતી, તે ફોર્મૂલાનો ઉપયોગ અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી વિરૂદ્ધ કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વારાણસી આવતાં જ અપ્રત્યક્ષ રીતે કોમ્યુનલ થઇ ગયા છે.
સૌથી પહેલાં અમે તમને જણાવી દઇએ કે અરવિંદ કેજરીવાલના પ્રચારની કમાન વારાણસીમાં તે ગોપાલ મોહને સંભાળી છે, જેમણે દિલ્હીમાં શીલા વિરૂદ્ધ પ્રચાર ટીમનું નેતૃત્વ કર્યું હતું. અરવિંદ કેજરીવાલે દિલ્હી ચૂંટણી દરમિયાન કોઇપણ પેંતરો બાકી રાખ્યો ન હતો. મુસલમાનના ઘરે જઇને ટોપી પહેરી ઇફ્તારમાં સામેલ થયા, તો હિન્દુઓના ઘરો સુધી જઇને જયકાર લગાવ્યા. તે કામ અરવિંદ કેજરીવાલ વારાણસીમાં કરી રહ્યાં છે.
હિન્દુ વોટ પાક્કા કરવાના હતા, એટલા માટે ગંગા નદીમાં ડુબકી લગાવી અને કાશી વિશ્વનાથ મંદિરમાં માથું ટેક્યું. એટલું જ નહી ભૈરવના મંદિરમાં જઇને પણ અર્ચના કરી. તો વારાણસીના મુસલમાનોના વોટ પાકા કરવા માટે શાજિયા ઇલમી પોતાની ટીમને લઇને વારાણસીમાં ડેરો જમાવ્યો છે. મજેદાર વાત એ છે કે શાજિયાની સાથે 3 ડઝનથી વધુ મુસ્લિમ કાર્યકર્તા છે, જે વારાણસીના મુસ્લિમ પ્રભાવવાળા વિસ્તારોની તપાસ કરી રહ્યાં છે.

બીજી તરફ વારાણસીના દલિત સમુદાય પાસે વોટ પાક્કા કરવા માટે રાખી બિડલાનું વારાણસી આવવા જવાનું ચાલુ છે. વારાણસીના કુલ મતદારોના 18 ટકા મુસલમાન વોટર છે અને તેમાંથી 30 ટકા વોટર શહેરી વિસ્તારોમાં રહે છે. એટલે કે તે વર્ગ છે, જે આમ આદમી પાર્ટીથી વધુ પ્રભાવિત છે.
આમ આદમી પાર્ટીના લગભગ 2000 વોલેંટિયર્સ બહારથી વારાણસી પહોંચ્યા છે જે લગભગ આટલા જ સ્થાનિક કાર્યકર્તાઓની સાથે મળીને કેજરીવાલ માટે ઘરે-ઘરે જઇને પ્રચાર કરી રહ્યાં છે. નુક્કડ સભાઓ લાગી રહી છે અને તે માથા પર આમ આદમી પાર્ટીની ટોપીઓ પહેરાવવાનો પ્રયત્ન તેજ કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
