Buddha Purnima 2023 : ભાગવાન બુદ્ધે ચાર પત્નીની વાર્તાથી સમજાવ્યો જીવનનો મર્મ, જાણો કથા
Buddha Purnima 2023 : આજે સમગ્ર દેશમાં બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘણા લોકો ભગવાન બુદ્ધને ભગવાન વિષ્ણુનો નવમો અવતાર માને છે. બુદ્ધને અહિંસા, કરુણા, દયા અને સકળ વિશ્વને શાંતિનો સંદેશ આપવા માટે જાણીતા છે.
બુદ્ધ લોકોને જીવન માર્ગ બતાવે છે. બુદ્ધે સમગ્ર વિશ્વને શાંતિ, કરુણા અને સહિષ્ણુતાના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપી. તેથી જ આજે તેમના અનુયાયીઓ સમગ્ર દુનિયામાં ફેલાયો છે. ભગવાન બુદ્ધના ઉપદેશો આજના અસ્તવ્યસ્ત યુગમાં હંમેશાની જેમ સુસંગત છે.

બુદ્ધે આપ્યો ચાર પત્નીઓનો સંદેશ
ગૌતમ બુદ્ધના ઉપદેશો આજે પણ લોકોને પ્રેરિત કરવાની સાથે યોગ્ય જીવન જીવવાનો માર્ગ બતાવે છે. તેમણે જણાવ્યું હતું કે, દરેક પુરુષને 4 પત્નીઓ હોવી જોઈએ. જેની પાછળ એક રસપ્રદ કથા છે. આ કથાનો ઉલ્લેખ બુદ્ધના પ્રારંભિક ઉપદેશોમાંના 32 આગમા સૂત્રોમાંથી એકમાં કરવામાં આવ્યો છે.
ગૌતમ બુદ્ધે તેમના શિષ્યોને જણાવ્યું હતું કે, એક માણસને ચાર પત્નીઓ હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો, જ્યારે તે બીમાર પડ્યો, ત્યારે તેણે પોતાનું મૃત્યુ જોવાનું શરૂ કર્યું. તેમના જીવનના અંત તરફ, તેઓ ખૂબ જ એકલતા અનુભવવા લાગ્યા હતો, તેણે તેની પ્રથમ પત્નીને બોલાવી અને તેને તેની સાથે બીજી દુનિયામાં જવા કહ્યું હતું.
માણસે કહ્યું, મારી વહાલી પત્નીઓ, હું તને સૌથી વધુ પ્રેમ કરતો હતો, હંમેશા તારી સંભાળ રાખતો હતો. હવે હું મરવાનો છું, તો શું તમે મારી સાથે ચાલશો, જ્યાં હું મૃત્યુ પછી જઇ રહ્યો છું?'
પ્રથમ પત્નીનો જવાબ
પ્રથમ પત્નીએ જવાબ આપ્યો, પ્રિય પ્રાણનાથ, હું જાણું છું કે, તમે હંમેશા મને પ્રેમ કરતા હતા અને હવે તમારો અંત નજીક છે. આવી સ્થિતિમાં તમારાથી અલગ થવાનો સમય આવી ગયો છે.
બીજી પત્નીનો જવાબ
આ પછી તેણે તેની બીજી પત્નીને બોલાવી અને તેને મૃત્યુ પછીના પ્રવાસમાં તેની સાથે રહેવા વિનંતી કરી હતી. તો બીજી પત્નીએ જવાબ આપ્યો, પ્રિય પતિદેવ, તમરી પહેલી પત્નીએ તમરા મૃત્યુ પછી તમરો સાથ આપવાની ના પાડી, તો હું તારી સાથે કેવી રીતે જાઉં? તમે મને ફક્ત તમારા સ્વાર્થ માટે પ્રેમ કર્યો છે.
ત્રીજી પત્નીનો જવાબ
મરણપથારીએ પડેલા માણસે તેની ત્રીજી પત્નીને બોલાવી અને તે જ પ્રશ્ન પૂછ્યો. ત્રીજી પત્નીએ આંખોમાં આંસુ સાથે જવાબ આપ્યો, હે સ્વામીનાથ, હું તમારા માટે સંવેદના ધરાઉં છું અને મારી જાત માટે પણ સંવેદશીલ છું. એટલા માટે હું અંતિમ સંસ્કાર સુધી તમારી સાથે રહીશ, પણ એથી આગળ તમારો સાથ આપી શકીશ નહીં.
ચોથી પત્નીનો જવાબ
તેની ચોથી પત્ની, જેની તેણે બહુ કાળજી લીધી ન હતી. તે ચોથી પત્ની સાથે હંમેશા દાસી જેવું વર્તન કરતો હતો અને તેને હંમેશા ઠપકો આપતો હતો. માણસે વિચાર્યું કે, જો તે તેણીને તેની છેલ્લી મુસાફરીમાં તેની સાથે આવવા માટે કહેશે, તો તેણી ચોક્કસ ના પાડી દેશે. જોકે, તે ડરી ગયો હતો અને એકલતા અનુભવતો હતો કે, તેણે તેની ચોથી પત્નીને તેની સાથે બીજી દુનિયામાં જવા વિનંતી કરી હતી.
પતિના કહેવા પર ચોથી પત્નીએ કહ્યું કે, 'મારા વ્હાલા પ્રાણનાથ, હું તમારી સાથે જઈશ. ભલે ગમે તે થાય, હું કાયમ તમારી સાથે રહેવા માટે વચનબદ્ધ છું. હું ક્યારેય તમારાથી અલગ નહીં રહી શકું. આ એક પુરુષ અને તેની ચાર પત્નીઓની કથા છે.
આ ચાર પત્નીઓનો અર્થ શું છે?
ગૌતમ બુદ્ધ એમ કહીને તેમની કથા સમાપ્ત કરે છે કે, દરેક પુરુષ અને સ્ત્રીને ચાર પત્નીઓ અથવા પતિ હોય છે અને દરેકનો એક વિશેષ અર્થ હોય છે. પ્રથમ પત્ની અથવા જીવનસાથી એ આપણું શરીર છે, જેને આપણે દિવસ-રાત પ્રેમ કરીએ છીએ. સવારે આપણે ચહેરો ધોઈએ છીએ, કપડાં અને પગરખાં પહેરીએ છીએ. આપણે આપણા શરીરને ખોરાક આપીએ છીએ. આપણે પહેલી પત્નીની જેમ આપણા શરીરની સંભાળ રાખીએ છીએ પણ કમનસીબે જીવનના અંતે શરીર એટલે કે પહેલી પત્ની આપણને આગલી દુનિયામાં લઈ જઈ શકતી નથી. મૃતદેહનો અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.
બુદ્ધે જણાવ્યું હતું કે, જ્યારે અંતિમ શ્વાસ આપણા શરીરને છોડી દે છે, ત્યારે ચહેરાનો રંગ બદલાઈ જાય છે અને આપણે આપણું તેજસ્વી જીવન ગુમાવવાનું શરૂ કરીએ છીએ. આપણા પ્રિયજનો ભેગા થઈને શોક કરી શકે છે, પણ તેનો કોઈ ફાયદો નથી. આવા સમયે મૃતદેહને અંતિમ સંસ્કાર માટે ખુલ્લા મેદાનમાં મૂકવામાં આવે છે અને માત્ર સફેદ રાખ જ રહે છે. આ આપણા શરીરનું ગંતવ્ય છે.
ભૌતિક વસ્તુઓનો અર્થ બીજી 'પત્ની' આપણા નસીબ, ભૌતિક વસ્તુઓ, સંપત્તિ, મિલકત, ખ્યાતિ, પદ અને નોકરીનો ઉલ્લેખ કરે છે. આપણે આ બધી ભૌતિક વસ્તુઓ સાથે ખૂબ જ જોડાયેલા અનુભવીએ છીએ જેને મેળવવા માટે અમે સખત મહેનત કરી છે. આપણને આ વસ્તુઓ ગુમાવવાનો ડર લાગે છે, પરંતુ તેની કોઈ સીમા નથી. આપણા ભાગ્યમાં જે કંઈ ભેગું થયું છે તે આપણે છોડવું પડશે. આ દુનિયામાં આપણે ખાલી હાથે આવ્યા છીએ અને મૃત્યુ સમયે પણ આપણા હાથ ખાલી છે. જેમ બીજી પત્નીએ તેના પતિને જણાવ્યું હતું, તમે માત્ર તમારા અહંકાર અને સ્વાર્થને લીધે મને તમારી સાથે રાખી હતી.
બુદ્ધ કહે છે કે, ત્રીજી પત્નીનો અર્થ આપણા સ્વજનોથી થાય છે. તે આપણા માતા-પિતા, બહેનો અને ભાઈઓ, બધા સગાં, મિત્રો અને સમાજ જેવા છે. તેઓ આંખોમાં આંસુ સાથે સ્મશાન સુધી આપણી સાથે આવી શકે છે. તેઓ આપણા માટે ઉદાસ અને દુઃખી રહે છે. એટલા માટે આપણે આપણા શરીર, ભાગ્ય અને સમાજ પર નિર્ભર નથી રહી શકતા. આપણે એકલા આવીએ છીએ અને આ દુનિયાને એકલા છોડી દઈએ છીએ. મૃત્યુ બાદ આપણને કોઈ સાથ આપી શકે નહીં.
ચોથી પત્નીનો અર્થ જણાવતા બુદ્ધે કહ્યું હતું કે, ચોથી પત્ની આપણું મન અથવા ચેતના છે. જ્યારે આપણે જાણીએ છીએ કે, આપણું મન ક્રોધ, લોભ અને રોષથી ભરેલું છે, ત્યારે આપણે આપણા જીવનને વધુ સારા પરિપ્રેક્ષ્યમાં જોઈ શકીએ છીએ. ક્રોધ, લોભ અને રોષ એ કર્મના નિયમો છે. આપણે આપણા કર્મમાંથી ક્યારેય છૂટકારો મેળવી શકતા નથી. જેમ ચોથી પત્નીએ તેના મરતા પતિને જણાવ્યું હતું કે, તમે જ્યાં જશો, ત્યાં હું તમારી સાથે આવીશ.
આ દેશોમાં બુદ્ધ પૂર્ણિમા ઉજવાશે
ભારત ઉપરાંત ચીન, જાપાન, નેપાળ, ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ, કંબોડિયા, મલેશિયા અને શ્રીલંકામાં પણ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. આ શુભ અવસર પર તેમની સાથે જોડાયેલા તીર્થ સ્થાનો પર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જે લોકો બૌદ્ધ ધર્મમાં વિશ્વાસ કરે છે, તેઓ આજે તેમના ઘરને ફૂલો અને દીવાઓથી શણગારે છે. કેટલાક લોકો આજે ઉપવાસ કરીને પ્રાર્થના કરે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
