E-Aadhaar : શું હોય છે ઇ-આધાર? જાણો કેવી રીતે બને અને આધાર કાર્ડથી કેટલુ અલગ છે?
E-Aadhaar : ભારતના નાગરીકો માટે આધાર કાર્ડ સૌથી મહત્વનો દસ્તાવેજ માનવામાં આવે છે. બેંક એકાઉન્ટ ખોલવાથી લઈને કોઈપણ ડોક્યુમેન્ટ બનાવવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે.
જણાવી દઈએ કે, ભારતમાં 90 ટકાથી વધુ લોકો પાસે આધાર કાર્ડ છે. ઓળખના પુરાવા તરીકે આધારકાર્ડનો સંભવિત સૌથી વધુ ઉપયોગ થાય છે.

આધાર કાર્ડને કાર્ડ તરીકે સાથે રાખવા શકાય છે અને ઇ-આધાર પણ કરાવી શકાય છે. સામાન્ય આધાર કાર્ડથી ઇ-આધાર અલગ છે. તેને બનાવવા એક ખાસ પ્રક્રિયા છે.
ફિજિકલ દસ્તાવેજ તરીકે સામાન્ય આધાર કાર્ડનો ઉપયોગ થાય છે અને ઉપયોગ કરવો હોય ત્યાં લઈ જવુ જરૂરી છે. ઇ-આધાર પાસવર્ડથી સુરક્ષિત ઈલેક્ટ્રોનિક કોપી છે. જે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા ડિજિટલ હસ્તાક્ષર દ્વારા જારી કરવામાં આવે છે અને ફોનમાં રાખી શકાય છે.
ઇ-આધાર ખોવાઈ જવા કે ચોરી થઈ જવાનો ડર રહેતો નથી. પાસવર્ડ વગર તેને ખોલી શકાતું નથી. તેને ગમે ત્યારે ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય છે.
ઇ-આધાર મેળવવા UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ અથવા https://eaadhaar.uidai.gov.in પર પણ જઈને કરી શકાય છે. અહીં તમે ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.
ભારત સરકારના કાયદા અનુસાર, ઇ-આધાર સામાન્ય આધાર કાર્ડની ફિજિકલ નકલની જેમ જ માન્ય છે. જે રીતે તમે સામાન્ય આધાર કાર્ડનો ઉપયોગ કરો છો. આ રીતે તમે ઇ-આધારનો પણ ઉપયોગ કરી શકો છો.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
