ઈદ-ઉલ-ફિત્રનુ મહત્વ, ઉજવણી, તારીખ, જાણો તેના વિશે બધુ
દુનિયાભરમાં મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-ફિત્ર કે ઈદ છે. જાણો તેના વિશે બધુ
દુનિયાભરમાં મુસ્લિમ સમુદાય માટે સૌથી મોટો તહેવાર ઈદ-ઉલ-ફિત્ર કે ઈદ છે. ઈસ્લામિક કેલેન્ડરમાં નવમો મહિનો રમઝાન પૂરો થતા અને દસમાં મહિનાની સવાર થયા પછી આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રમઝાન વર્ષનો સૌથી પવિત્ર મહિનો ગણવામાં આવે છે જેમાં મુસ્લિમો વહેલી સવારથી સાંજ સુધી ઉપવાસ કરે છે. દાન અને સામાજિક કાર્યો કરે છે અલ્લાહની બંદગી કરે છે. ઈદનો તહેવાર ભાઈચારાનુ પ્રતીક છે.

કઈ તારીખે મનાવાય ઈદ
ઈસ્લામિક કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે. આ વર્ષે ઈદ ગુરુવારે(13 મે)ના રોજ મધ્ય-પૂર્વ અને પશ્ચિમમાં ઉજવવામાં આવશે કારણકે ગઈ કાલે અર્ધચંદ્રાકાર જોવા મળ્યો નહોતો. ભારત અને એશિયન સબકોન્ટીનેન્ટ આજે ચંદ્ર જોવાનો પ્રયત્ન કરશે અને તેના આધારે ગુરુવાર અથવા શુક્રવારે ઈદ ઉજવવામાં આવશે. ઈસ્લામિક કેલેન્ડર સૂર્યને બદલે ચંદ્રને અનુસરે છે જેથી ચંદ્રનુ નિરીક્ષણ કરવુ મહત્વનુ છે.

શું છે ઈદનુ મહત્વ
ઈદ-ઉલ-ફિત્ર એ રમઝાનના આધ્યાત્મિક મહિના પછીની ઉજવણીનો દિવસ છે જેમાં મુસ્લિમ સમુદાય રોજા અને સારા કાર્યો દ્વારા અલ્લાહની નજીક જવાનો પ્રયાસ કરે છે. તે એક એવો દિવસ છે જેમાં મુસ્લિમો રમઝાનના પવિત્ર મહિના અને તેના તમામ આશીર્વાદો આપવા બદલ આભારી છે. તેઓ આખુ વર્ષ તેમની ધર્મનિષ્ઠામાં વધારો થાય તે માટે અલ્લાહને પ્રાર્થના કરે છે. ઈદના દિવસે તમે રોજો ન રાખી શકો કારણકે એ ઉજવણીનો દિવસ છે.

કેવી રીતે થાય છે ઈદની ઉજવણી
વિશ્વભરના મુસ્લિમ લોકો સવારે ઈદની નમાઝ મસ્જિદમાં અદા કરે છે. પરંતુ આ વર્ષે કોરોના પ્રતિબંધોના કારણે લોકો પોતાના પરિવાર સાથે ઘરમાં જ ઈદની નમાઝ અદા કરશે. લોકો નવા કપડો પહેરે છે અને પરિવારના મોટા સભ્યો નાના બાળકો અને નાના સભ્યોને ઈદી અથવા ઈદની ભેટ આપે છે. ઈદ પર સ્વાદિષ્ટ ભોજન પણ બનાવવામાં આવે છે. ભારતમાં ઈદના દિવસે સેવૈયા બનાવવામાં આવે છે. દુનિયાના અલગ અલગ દેશોમાં અલગ અલગ પ્રકારની વાનગીઓ ઈદના દિવસે બનાવવામાં આવે છે. લોકો એકબીજાને ગળે મળીને ઈદની શુભેચ્છાઓ પાઠવે છે.
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા










Click it and Unblock the Notifications
