Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Garuda Puran: મૃત્યુના 1 કલાકની અંદર આત્મા સાથે થાય છે આ 7 વસ્તુઓ

Garuda Puran: મૃત્યુ એ જીવનનુ સત્ય છે જેને કોઈ નકારી ના શકે. પૃથ્વી પર જન્મેલા દરેક જીવનું એક દિવસ મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુ પછી શરીરનો નાશ થાય છે. તેથી જ મૃતદેહને બાળવામાં આવે છે અથવા દાટી દેવામાં આવે છે.

પરંતુ આત્મા કદી મરતો નથી. તે એક શરીરથી બીજામાં બદલાય છે. તેથી જ શરીરને અવિનાશી અને આત્માને અમર કહ્યો છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે કે ન તો શસ્ત્રો આત્માને કાપી શકે છે, ન તો પાણી તેને ડૂબાડી શકે છે, ન અગ્નિ બાળી શકે છે અને ન હવા તેને સૂકવી શકે છે.

Garuda Puran

આત્મા તેના કર્મોનાં ફળ પ્રમાણે એક શરીરમાંથી બીજા શરીરમાં બદલાતો રહે છે. વ્યક્તિના મૃત્યુ પછી લગભગ એક કલાક સુધી તેના આત્મામાં ઘણી વિચિત્ર વસ્તુઓ થતી રહે છે. આ વસ્તુઓના કારણે આત્મા વ્યગ્ર થઈ જાય છે અને વિક્ષેપને કારણે બેભાન થઈ જાય છે.

ગરુડ પુરાણમાં આવી જ કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન વિષ્ણુએ ગરુડ પુરાણમાં જીવન અને મૃત્યુ વિશે ઘણી અનોખી અને વિશેષ માહિતી આપી છે. મૃત્યુના 1 કલાક પછી આત્માનું શું થાય છે તેનું વિગતવાર વર્ણન ગરુડ પુરાણમાં કરવામાં આવ્યું છે.

અચેતના

મૃત્યુ પછી જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે અમુક સમય માટે બેભાન અવસ્થામાં રહે છે. આ સખત મહેનત પછી થાક અથવા ગાઢ ઊંઘ જેવી જ લાગણી છે. પરંતુ થોડા સમય પછી તે ભાનમાં આવે છે.

આત્માનું અસામાન્ય વર્તન

જ્યારે આત્મા મૃત્યુ પછી શરીર છોડી દે છે, ત્યારે તેને અનુભવાતુ નથી કે તેની સાથે શું થયું છે. તેથી જ જ્યારે આત્મા શરીરમાંથી બહાર આવે છે, તે પછી પણ તે પાછલા જન્મની જેમ વર્તે છે.

અસ્વસ્થતા અને ડર

અસ્વસ્થ આત્મા તેના સંબંધીઓને બોલાવે છે અને તેમને કંઈક કહેવાનું શરૂ કરે છે, પરંતુ કોઈ તેને જોતું કે સાંભળતું નથી. માત્ર મૃત્યુ જ ધ્વનિ બનીને રહી જાય છે. આ સ્થિતિમાં આત્મા ડરે છે, કારણ કે વ્યક્તિ ફક્ત ભૌતિક વસ્તુઓને જ જોઈ અને અનુભવી શકે છે.

સાંસારિક માયા

ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે શરીર છોડવાથી આત્માને દુઃખ થાય છે. તેથી તે તેના સંબંધીઓને મળવા અને વાત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ તેનો પ્રયાસ નિષ્ફળ જાય છે. આત્મા પણ સાંસારિક માયા જાળમાં ફસાઈ જાય છે અને દેહ છોડવાનો શોક કરે છે.

શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ

જે શરીરમાં આત્મા ઘણા વર્ષો સુધી રહે છે, મૃત્યુ પછી તે જ શરીરમાં ફરીથી પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ યમરાજના દૂત તેમને શરીરમાં પ્રવેશતા અટકાવે છે. જો કે શરૂઆતમાં તે આત્મા માટે મુશ્કેલ છે, ધીમે ધીમે તે સ્વીકારે છે કે આત્માનો શરીરથી અલગ થવાનો સમય આવી ગયો છે.

મૃત શરીરથી દુ:ખ અને કર્મોની યાદ

શરીરથી દૂર થવાના થોડા સમય બાદ આત્માને પોતાના કર્મો યાદ આવે છે. આ સમયે ખાસ કરીને પોતાના ખરાબ કાર્યોને યાદ કરે છે. તૈ પરિવારના સભ્યો અને નજીકના સંબંધીઓને રડતા જુએ છે અને યાદ કરે છે કે તેણે કોની સાથે શું કર્યું. આ પછી, આત્મા યમલોકના માર્ગ તરફ ચાલવા લાગે છે.

કર્મ અનુસાર નવો જન્મ

ગરુડ પુરાણ અનુસાર, યમલોકના માર્ગે પહોંચ્યા પછી આત્માને તેના કર્મ અનુસાર નવો જન્મ મળે છે. કેટલાક આત્માઓને તરત જ નવો જન્મ મળે છે. પરંતુ કેટલાક આત્માઓએ રાહ જોવી પડે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X